SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આધાકર્મ દોષ ૨૩ ત્યારબાદ પાંચે વૃદ્ધિના સંયમસ્થાનો આવે, એટલે પ્રથમની જેમ અનંતભાગ અધિક કંડક પ્રમાણ સંયમ સ્થાનો આવે. તે પછી એક અસંખ્યાતભાગ અધિકનું સંયમસ્થાન આવે, તે જ રીતે અનંતભાગ અંતરિત અસંખ્યાતભાગ અધિકનું કંડક પ્રમાણ થાય, તે પછી એના આંતરાવાળું સંખ્યાતભાગ અધિકનું કડુંક પ્રમાણ થાય, તે પછી ત્રણના આંતરાવાળુ સંખ્યાતગુણ અધિકનું કંડક પ્રમાણ થાય, તે પછી ચારેના આંતરાવાળું અસંખ્યાત ગુણ અધિકનું કંડક પ્રમાણ થાય. તે પછી અનંતગુણ અધિકનું બીજું સંયમસ્થાન આવે. આ ક્રમ પ્રમાણે અનંતગુણ અધિકના સ્થાનો પણ કંડક પ્રમાણ કરવાં. તે પછી ઉપર પ્રમાણે અનંતભાગ અધિકનું સંયમસ્થાન તેની વચ્ચે વચ્ચે અસંખ્યભાગ અધિકનું, તે પછી બન્ને વચ્ચે વચ્ચે સંખ્યાતભાગ અધિકનું, તે પછી ત્રણના આંતરાવાળુ સંખ્યાતગુણ અધિકનું અને તે પછી ચારના આંતરાવાળું અસંખ્યાતગુણ અધિકનું કંડક કરવું. એટલે પત્યું સ્થાનક પરિપૂર્ણ થાય. આવા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ષ સ્થાનકો સંયમ શ્રેણીમાં બને છે. આ પ્રમાણે સંયમશ્રેણીનું સ્વરૂપ શાસ્ત્રમાં જણાવેલું છે. આધાકર્મી આહાર ગ્રહણ કરનાર વિશુદ્ધ સંયમસ્થાનથી નીચે નીચે પડતો હીન હીન ભાવમાં આવતો યાવતુ રત્નપ્રભાદિ નરકાદિનું આયુષ્ય બાંધે છે તથા બાકીના સાત કર્મો પણ અધોગતિને અનુસાર બાંધે છે. શંકા-આહાર તૈયાર કરતાં છ કાયાદિનો આરંભ ગૃહસ્થ કરે છે, તો તે આરંભ આદિનું જ્ઞાનાવરણાદિ પાપકર્મ સાધુને આહારગ્રહણ કરતાં કેમ લાગે ? કેમકે એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું નથી. જો એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું હોત તો ક્ષપકશ્રેણી ઉપર ચઢેલા મહાત્મા કૃપાલુ અને સઘળા જગતના જીવોના કર્મોનો નાશ કરવામાં સમર્થ છે; તેથી સઘળાંય પ્રાણીઓના જ્ઞાનાવરણાદિ કર્મોને પોતાની ક્ષપકશ્રેણીમાં સંક્રમાવીને ખપાવી નાખે તો બધાનો એક સાથે મોક્ષ થાય. કહ્યું 'क्षपकश्रेणिपरिगतः स समर्थः सर्वकर्मिणां कर्म । क्षपयितुमेको यदि कर्मसंक्रमः ચાતરવૃતસ્ય ||” “જો બીજાએ કરેલા કર્મોનો સંક્રમ થઈ શકે તો, ક્ષપકશ્રેણીમાં રહેલ એક આત્મા સઘળાં પ્રાણીઓના કર્મને ખપાવી નાખવા સમર્થ છે. પરંતુ આમ બનતું નથી, તેથી બીજાએ કરેલું કર્મ બીજામાં સંક્રમી ન શકે. સમાધાન-જે સાધુ પ્રમત્ત હોય અને હોશિયાર નથી હોતો તે સાધુ કર્મથી બંધાય
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy