________________
૧૮
૧. આધાકર્મ દોષ આધાકર્મના દ્વારો - ૧ આધાકર્મના એકાર્થિક નામો, ૨ કોના માટે કરેલું આધાકર્મ થાય ? ૩ આધાકર્મનું સ્વરૂપ. ૪ પરપક્ષ (ગૃહસ્થ), સ્વપક્ષ (સાધુ-સાધ્વી) સ્વપક્ષમાં અતિચાર આદિ પ્રકારો. ૧ આધાકર્મનાં એક અર્થવાળાં નામો ૨ આધાકર્મ, ૨ અધઃકર્મ ૩ આત્મન અને ૪ આત્મકર્મ.
૨ આધાકર્મ-એટલે “સાધુને હું આપીશ” આવો સંકલ્પ મનમાં રાખીને તેમને માટે છ કાય જીવની વિરાધના જેમાં થાય તેવી આહાર આદિ તૈયાર કરવાની જે ક્રિયા.
૨ અધ:કર્મ-એટલે આધાકર્મ દોષવાળો આહાર ગ્રહણ કરનાર સાધુને સંયમથી નીચે લઈ જાય, શુભ લેશ્યાથી નીચે પાડે અથવા નરકગતિમાં લઈ જાય માટે અધ:કર્મ. ૩ આત્મબ-એટલે સાધુના ચારિત્રરૂપી આત્માનો નાશ કરનાર. ૪ આત્મકર્મ-અશુભ કર્મનો બંધ કરાવનાર.
આધાકર્મ આહાર ગ્રહણ કરવાથી જો કે સાધુ પોતે છકાય જીવનો વધ નથી કરતો, પરંતુ તેવો આહાર ગ્રહણ કરવાથી અનુમોદના દ્વારા છકાય જીવના