SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૧. આધાકર્મ દોષ આધાકર્મના દ્વારો - ૧ આધાકર્મના એકાર્થિક નામો, ૨ કોના માટે કરેલું આધાકર્મ થાય ? ૩ આધાકર્મનું સ્વરૂપ. ૪ પરપક્ષ (ગૃહસ્થ), સ્વપક્ષ (સાધુ-સાધ્વી) સ્વપક્ષમાં અતિચાર આદિ પ્રકારો. ૧ આધાકર્મનાં એક અર્થવાળાં નામો ૨ આધાકર્મ, ૨ અધઃકર્મ ૩ આત્મન અને ૪ આત્મકર્મ. ૨ આધાકર્મ-એટલે “સાધુને હું આપીશ” આવો સંકલ્પ મનમાં રાખીને તેમને માટે છ કાય જીવની વિરાધના જેમાં થાય તેવી આહાર આદિ તૈયાર કરવાની જે ક્રિયા. ૨ અધ:કર્મ-એટલે આધાકર્મ દોષવાળો આહાર ગ્રહણ કરનાર સાધુને સંયમથી નીચે લઈ જાય, શુભ લેશ્યાથી નીચે પાડે અથવા નરકગતિમાં લઈ જાય માટે અધ:કર્મ. ૩ આત્મબ-એટલે સાધુના ચારિત્રરૂપી આત્માનો નાશ કરનાર. ૪ આત્મકર્મ-અશુભ કર્મનો બંધ કરાવનાર. આધાકર્મ આહાર ગ્રહણ કરવાથી જો કે સાધુ પોતે છકાય જીવનો વધ નથી કરતો, પરંતુ તેવો આહાર ગ્રહણ કરવાથી અનુમોદના દ્વારા છકાય જીવના
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy