SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ ૧-આધાકર્મ-સાધુને માટે જ જે આહાર આદિ કરવામાં આવ્યો હોય તે. ૨-ઉદ્દેશિક-સાધુ વગેરે બધા ભિક્ષાચરોને ઉદ્દેશીને આહાર આદિ કરવામાં આવેલ હોય તે. ૧૭ ૩ પૂતિકર્મ-શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કરવામાં આવ્યો હોય તે. ૪ મિશ્ર-શરૂઆતથી ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો હોય તે. ૫ સ્થાપના-સાધુને માટે આહારાદિ રાખી મૂકવા તે. ૬ પ્રાકૃતિકા-સાધુને વહોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વહેલા કે મોડાં કરવાં તે. ૭ પ્રાદુષ્કરણ-સાધુને વહોરાવવા માટે અંધારું દૂર કરવા બારી, બારણાં કરવાં અથવા વીજળી, દીવા વગેરેનો પ્રકાશ કરવો તે. ૮ ક્રીત-સાધુને વહોરાવવા માટે વેચાતુ લેવું તે. ૯ પ્રામિત્ય-સાધુને વહોરાવવા માટે ઉધારે લાવવું તે. ૧૦ પરિવર્તિત-સાધુને વહોરાવવા માટે વસ્તુનો અદલો બદલો કરવો તે. ૧૧ અભ્યાહૂત-સાધુને વહોરાવવા માટે સામે લઈ જવું તે. ૧૨ ઉભિન્ન-સાધુને વહોરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલી હોય તે તોડીને આપવું તે. ૧૩ માલાહત-ભોંયરું કે માળ ઉપરથી લાવીને આપવું તે. ૧૪ આછેદ્ય-પુત્ર, નોકર આદિ પાસેથી બળજબરીથી ઝૂંટવી લઈને આપવું તે. ૧૫ અનિસૃષ્ટ-ઘણાની માલિકીની વસ્તુ બીજાની રજા વગર એક જણે આપવી તે. ૧૫ અધ્યવપૂરક-પોતાના માટે રસોઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં અધિક નાંખેલું આપવું તે.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy