SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ છર્દિત દોષ ૧૯૩ ત્રીજી ચતુર્ભગી મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય અચિત્ત વસ્તુ મિશ્રમાં વેરાય મિશ્ર વસ્તુ અચિત્તમાં વેરાય અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય સચિત્ત પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા મિશ્ર પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા સચિત્ત પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા મિશ્ર પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા કુલ ૨૪૪ ત્રણ ચતુર્ભગીના ૪૩૨ ભાંગા થાય. કોઈ પણ ભાંગામાં સાધુને ભિક્ષા લેવી કહ્યું નહિ. જો છર્દિત દોષવાળી ભિક્ષા ગ્રહણ કરે તો-૨ આજ્ઞાભંગ, ૨ અનવસ્થા, ૩ મિથ્યાત્વ, ૪ સંયમવિરાધના, આત્મવિરાધના, ૬ પ્રવચનવિરાધના આદિ દોષો લાગે. એ જ રીતે ઉદ્દેશિકાદિ દોષવાળી ભિક્ષા લેવામાં પણ મિથ્યાત્વાદિ દોષો લાગે તે સમજી લેવું. 2 આજ્ઞાભંગ-શ્રી તીર્થકર ભગવંતોએ છર્દિત દોષવાળી ભિક્ષા ગ્રહણ કરવાનો નિષેધ કરેલો છે. જો ગ્રહણ કરે તો તેમની આજ્ઞાનો ભંગ થાય એટલે આજ્ઞાભંગ. ૨ અનવસ્થા-એક સાધુ દોષવાળી ભિક્ષા લેતો હોય તે જોઈને બીજો વિચાર કરે કે “આ ભિક્ષા ગ્રહણ કરે છે તો પછી હું લઉં તો શો વાંધો ?' એટલે બીજો લે, તે જોઈને ત્રીજો લે. એમ અનવસ્થા થાય. ૩ મિથ્યાત્વ-દોષિત ભિક્ષા લેવાનો નિષેધ કરેલો છે, છતાં આ તો લે છે. એટલે બીજા સાધુ આદિને અશ્રદ્ધા થાય. અશ્રદ્ધા થઈ એટલે મિથ્યાત્વ પામે. ૪ સંયમવિરાધના-ઉષ્ણ કે શીત ભિક્ષા આપતાં નીચે ભૂમિ ઉપર વેરાય ત્યાં પૃથ્વીકાયાદિ હોય તેની વિરાધના થાય. તેથી સંયમવિરાધના. ૫ આત્મવિરાધના-ભિક્ષા ગરમાગરમ હોય અને ઢોળાય તો કાં તો આપનાર દાઝે કે સાધુ દાઝે તેથી આત્મવિરાધના. ૯ પ્રવચનવિરાધના-આપનાર કે લેનાર દાઝે તો લોકો જેમ તેમ બોલે તેથી પ્રવચનવિરાધના. નીચે છાંટો પડે તો પરંપરાએ કેવા દોષ સર્જાય તે ઉપર દષ્ટાંત વારત્તપુર નામના નગરમાં અભયસેન નામના રાજા રાજ્ય કરે છે. તેમને વારત્તક નામનો પ્રધાન છે.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy