SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ દાયક દોષ ૧૮૧ મોટું વાસણ વારંવાર ફેરવવામાં ન આવે એટલે તે વાસણની નીચે મંકોડા, કીડી વગેરે આવીને રહ્યા હોય તો તે ઉપાડીને આપે તો પાછું મૂકતા તેની નીચેના તે કીડા, મંકોડા હોય તે ચગદાઈ જાય. વાસણ ઉપાડતાં કીડી, મંકોડા આદિ હાથ નીચે દબાઈ જાય, ઉપાડતાં કષ્ટ પડે, દાઝે કરે ઇત્યાદિ દોષો રહેલા છે માટે મોટા વાસણ આદિ ઉપાડીને આપે તો તે ભિક્ષા લેવી કહ્યું નહિ. ૩૪ સાધારણ - ઘણાની માલિકીવાળી વસ્તુ બધાની રજા સિવાય આપતા હોય તે તે ભિક્ષા લેવી કહ્યું નહિ. દ્વેષ આદિ દોષો થાય, માટે ન કલ્પ. ૩૫ ચોરેલું - ચોરીછૂપીથી અથવા ચોરેલું આપતા હોય તો તેવી ભિક્ષા લેવી ન કલ્પ. નોકર પુત્રવધૂ આદિએ ચોરીછૂપીથી આપેલું સાધુ લે અને પાછળથી તેના માલિક કે સાસુ આદિને ખબર પડે તો તેને મારે, બાંધે, ઠપકો આપે વગેરે દોષો થાય માટે તેવો આહાર સાધુને લેવા કહ્યું નહિ. ૩૬ પ્રાકૃતિકા - લહાણી કરવા માટે એટલે બીજાને આપવા માટે મૂલ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલું હોય તે આપે તો સાધુને લેવું કહ્યું નહિ. ૩૭ સપ્રત્યપાય - આહાર આપતાં આપનારને કે લેનારના શરીરે કોઈ અપાયનુકશાન થાય એમ હોય તો લેવું કલ્પ નહિ. આ અપાય-ઉપર, નીચે અને તીર્જી એમ ત્રણ પ્રકારે. જેમકે ઊભા થવામાં માથા ઉપર ખીંટી, બારણું વાગે એમ હોય, નીચે જમીન ઉપર કાંટા, કાચ આદિ પડેલ હોય તો વાગવાનો સંભવ હોય, આજુબાજુમાં ગાય, ભેંસ વગેરે હોય અને તે શીંગડું મારે એવો સંભવ હોય અથવા ઊંચે છાપરામાં સર્પ આદિ લટકતા હોય તે ઊભા થતાં કરડે એમ હોય તો સાધુએ ભિક્ષા લેવી કહ્યું નહિ. ૩૮ અન્ય ઉદ્દેશ-કાઈટિકાદિ ભિક્ષાચરો વગેરેને આપવા માટે અથવા બલિ આદિને માટે રાખેલો આહાર સાધુને લેવો કલ્પ નહિ. આવો આહાર ગ્રહણ કરવામાં અદત્તાદાનનો દોષ લાગે. કેમકે તે આહાર તે કાપેટિકાદિને માટે કલ્પેલો છે. વળી ગ્લાન આદિ સાધુને ઉદ્દેશીને આહાર આપ્યો હોય તે ગ્લાન આદિ સિવાય બીજાને વાપરવો કલ્પ નહિ, પરંતુ જો એમ કહ્યું હોય
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy