________________
૧૮૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૨૫ મદ્માણી - રૂની પૂણીઓ બનાવતી હોય તો લેવું કલ્પ નહિ.
૨૨ થી ૨૫માં ભિક્ષા આપતાં હાથ આદિ ખરડાય તે ધોઇને પાછી કામ કરવા બેસે તેમાં હાથ ધોવામાં અકાય આદિની વિરાધના થાય. માટે લેવું કહ્યું નહિ.
અપવાદ - પિંજવા આદિનું કામ પૂરું થઈ ગયું હોય અથવા અચિત્ત રૂને પીંજતી હોય તો ભિક્ષા લેવી કલ્પ અથવા તો ભિક્ષા આપ્યા પછી હાથ ન ધુવે એમ હોય તો લેવું કહ્યું. અર્થાત્ પશ્ચાત્ કર્મદોષ ન લાગે એમ હોય તો લેવું કહ્યું.
૨૬ સચિત્ત પૃથ્વીકાય આદિ વસ્તુ (સચિત્ત મીઠું, પાણી, અગ્નિ, પવન ભરેલી બસ્તી, ફળ, મત્સ્ય આદિ) હાથમાં હોય તો ભિક્ષા લેવી ન કલ્પે.
૨૭ સાધુને ભિક્ષા આપવા માટે સચિત્ત વસ્તુ નીચે મૂકીને આપે તો લેવું ન કલ્પ. ૨૮ સચિત્ત વસ્તુ ઉપર ચાલતી હોય અને આપે તો લેવું ન કલ્પ. ૨૯ સચિત્ત વસ્તુનો સંઘટ્ટો કરતા આપે, માથામાં સચિત્ત ફૂલની વેણી, ફૂલ આદિ હોય અને આપે તો ભિક્ષા લેવી કહ્યું નહિ.
૩૦ પૃથ્વીકાય આદિનો આરંભ કરતી હોય તો તેની પાસેથી લેવું ન કલ્પ. કોદાળી આદિથી જમીન ખોદતી હોય ત્યારે પૃથ્વીકાયનો આરંભ થાય, સચિત્ત પાણીથી સ્નાન કરતી હોય. કપડાં ધોતી હોય કે વૃક્ષ ઉપર પાણી સીંચતી હોય તો અપકાયનો આરંભ થાય, ચૂલો સળગાવતી હોય તો તેઉકાયનો આરંભ થાય, પંખો નાખતી હોય કે બસ્તીમાં પવન ભરતી હોય તો વાયુકાયનો આરંભ થાય, શાક સમારતી હોય તો વનસ્પતિકાયનો આરંભ થાય, મત્સ્યાદિ છેદન કરતી હોય તો ત્રસકાયનો આરંભ થાય. આ રીતે આરંભ કરનાર ભિક્ષા આપતા હોય તો તેમની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
૩૨ લિપ્સહસ્ત - દહીં આદિથી ખરડાયેલ હાથ હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ.
હાથ ખરડાયેલ હોય તો હાથ ઉપર જીવજંતુ લાગેલા હોય તો તેની વિરાધના થાય માટે કહ્યું નહિ.
૩૨ લિપ્તમાત્ર - દહીં આદિથી જે વાસણ ખરડાએલું હોય તે વાસણથી આપે તો લેવું કલ્પ નહિ.
૩૩ ઉદ્વર્તતી - મોટું, ભારે કે ગરમ વાસણ આદિ ઉપાડીને ભિક્ષા આપે તો લેવી કહ્યું નહિ.