SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દાયક દોષ લે છે.' માટે ભોજન કરતા હોય તેમની પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ. અપવાદ હાથ એંઠા થયા ન હોય કે ભોજન કરવાની શરૂઆત કરી ન હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પે. દહીંનું વલોણું કરતી હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી ૨૭ મનંતી કલ્પે નહિ. દહીં આદિ વલોવતી હોય તો તે સંસક્ત (જીવવાળું) હોય તે સંસક્ત દહીં આદિથી ખરડાયેલા હાથે ભિક્ષા આપતા તે રસના જીવોનો વિનાશ થાય માટે તેના હાથે ભિક્ષા લેવી કલ્પે નહિ. અપવાદ વલોણું પૂરું થઈ ગયું હોય અને હાથ કોરા હોય, તો લેવું કલ્પે અથવા તો વલોણામાં હાથ બગડેલા ન હોય તો લેવું કલ્પે. ૧૭૯ ૨૮ ભજ્જૂતી - ચૂલા ઉપર તાવડી આદિમાં ચણા આદિ સેકતી હોય તો ભિક્ષા લેવી કલ્પે નહિ. અપવાદ – ચૂલા ઉપરથી તાવડી ઉતારી લીધી હોય અથવા સંઘટ્ટો ન હોય અને આપે તે કલ્પે. ૨૯ દલતી - ઘંટી આદિમાં અનાજ દળતી હોય તો ભિક્ષા લેવી કલ્પે નહિ. અપવાદ દળતાં દળતાં તે ઊભી થઈ હોય અને સાધુ આવી જાય અને આપે તો લેવું કલ્પે અથવા અચિત્ત વસ્તુ દળતી હોય તો લેવું કલ્પે. અપવાદ ૨૦ કંડતી - ખાણીયા આદિમાં ખાંડતી હોય તો ભિક્ષા લેવી કલ્પે નહિ. સાંબેલું ઊંચું કરેલું હોય અને સાધુ આવી જાય તો ઉપાડેલા સાંબેલામાં કણ ચોંટેલા ન હોય તો, સાંબેલું નિર્જીવ જગ્યામાં મૂકીને આપે તો લેવું કલ્પે. - ૨૨ પીસંતી કલ્પે નહિ . - પત્થર, ખાણીયા આદિમાં લસોટતી હોય તો ભિક્ષા લેવી અપવાદ વાટી રહ્યા હોય, સચિત્તનો સંઘટ્ટો ન હોય તેવા વખતે સાધુ આવે અને આપે તો લેવું કલ્પે. ૨૨ પીંજંતી – રૂ છૂટું છૂટું કરતી હોય તો લેવું કલ્પે નહિ. ૨૩ રૂચંતી - કપાસમાંથી રૂ જુદું કાઢતી હોય તો લેવું કલ્પે નહિ. ૨૪ કાંતી - રૂમાંથી સુતર કાંતતી હોય તો લેવું કલ્પે નહિ.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy