________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
કે ‘તે ગ્લાન આદિ ન વાપરે તો બીજા ગમે તે વાપરજો.' તો તે આહાર બીજાને વાપરવો કલ્પે. તે સિવાય કલ્પે નહિ.
૧૮૨
૩૯ આભોગ-સાધુને ન ક૨ે તેવી વસ્તુ જાણી જોઈને આપે તો તે લેવી કલ્પે નહિ.
કોઈને એમ વિચાર આવે કે ‘મહાનુભાવ સાધુઓ હંમેશાં લૂખું, સૂકુ-પાકુ ભિક્ષામાં જે મળે તે વાપરે છે, તો ઘેબર આદિ બનાવીને આપું કે જેથી તેમના શરીરને ટેકો મળે, શક્તિ વગેરે આવે.' આવો વિચાર કરીને ઘેબર આદિ બનાવીને સાધુને આપે અથવા કોઈ દુશ્મન, સાધુનો નિયમ ભંગ કરાવવાના ઇરાદાથી અનેષણીય બનાવીને આપે. જાણી જોઈને આધાકર્મી આહાર આદિ આપે તો સાધુને તેવો આહાર લેવો કલ્પે નહિ.
૪૦ અનાભોગ-અજાણતાં સાધુને કલ્પે નહિ તેવી વસ્તુ આપે તો તે લેવી કલ્પે નહિ.
૨૬ થી ૪૦ દોષોમાં અપવાદ નથી. અર્થાત્ ૨૬ થી ૪૦ સુધીના દોષવાળી ભિક્ષા સાધુને કલ્પે નહિ.
ઇતિ ષષ્ઠ દાયક દોષ નિરૂપણ.