________________
૧૫૭
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
ગ્રહણ એષણાના દશ દોષોમાં આઠ દોષો સાધુ અને ગૃહસ્થ બન્નેથી ઉત્પન્ન થાય છે.
બે દોષો (શકિત અને અપરિણત) સાધુથી ઉત્પન્ન થાય છે.
ગ્રહણ એષણાના ચાર નિક્ષેપ-પ્રકારો થાય છે - 1 નામગ્રહણ એષણા, 2 સ્થાપના-ગ્રહણ એષણા, 3 દ્રવ્ય ગ્રહણ એષણા, 4 ભાવગ્રહણ એષણા. 1 નામગ્રહણ એષણા-ગ્રહણ એષણા નામ હોય તે. 2 સ્થાપનાગ્રહણ એષણા-ગ્રહણ એષણાની સ્થાપનાઆકૃતિ કરી હોય તે. 3 દ્રવ્યગ્રહણ એષણા-ત્રણ પ્રકારે-સચિત્ત અચિત્ત કે મિશ્ર વસ્તુનું ગ્રહણ કરવું તે. 4 ભાવગ્રહણ એષણા-બે પ્રકારે-આગમભાવગ્રહણ એષણા અને નોઆગમ ભાવગ્રહણએષણા.
આગમભાવગ્રહણ એષણા-ગ્રહણ એષણાનો જાણકાર અને તેમાં ઉપયોગવાળો.
નોઆગમભાવગ્રહણ એષણા-બે પ્રકારે પ્રશસ્તભાવ ગ્રહણ એષણા અને અપ્રશસ્તભાવ એષણા. પ્રશસ્તભાવગ્રહણ એષણા-સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ.
અપ્રશસ્તભાવગ્રહણ એષણા-શંકિત આદિ દોષવાળાં આહારપાણી ગ્રહણ કરવાં.
ભાવગ્રહણ એષણામાં અહીં અપ્રશસ્તપિંડનો અધિકાર છે. અપ્રશસ્ત ભાવપિંડના દશ પ્રકારો બતાવે છે.
संकिय मक्खिय निक्खित्त पहिय साहरिय दायगुम्मीसे ।
ગરિજા ત્તિ છg prોસા ત કરિ ૭૨ (પિ. નિ. પ૨૦) ૧ શંકિતદોષ-આધાકર્માદિ દોષની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. ૨ પ્રક્ષિતદોષ-સચિત્ત પૃથ્વીકાયાદિથી ખરડાયેલો આહાર ગ્રહણ કરવો તે. ૩ નિક્ષિપ્તદોષ-સચિત્ત વસ્તુ ઉપર મૂકેલો આહાર ગ્રહણ કરવો તે. ૪ પિહિતદોષ-સચિત્ત આદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે.
૫ સંહતદોષ-જે વાસણમાં સચિત્ત આદિ વસ્તુ રહેલી હોય, તે ખાલી કરીને તેનાથી જે આહાર આપે તે ગ્રહણ કરવો તે.