________________
૧પપ
એષણા શાસ્ત્રમાં ત્રણ પ્રકારની એષણા કહી છે - ૧ ગવેષણા, ૨ ગ્રહણ એષણા, ૩ ગ્રાસ એષણા. ગવેષણા-દોષ વગરના આહારની તપાસ કરવી તે. ગ્રહણ એષણા-દોષ વગરનો આહાર ગ્રહણ કરવો તે. ગ્રાસ એષણા-દોષોથી રહિત-શુદ્ધ આહારને વિધિપૂર્વક વાપરવો તે.
ઉદ્દગમના સોળ અને ઉત્પાદનના સોળ દોષો, આ બત્રીશ દોષો કહ્યા તે ગવેષણા કહેવાય છે. આ કહેવાથી ગવેષણાનું નિરૂપણ પૂરું થયું. હવે ગ્રહણ એષણા કહેવામાં આવે છે.
ગ્રહણ એષણા ગ્રહણ એષણાના દશ દોષો છે.
एवं तु गविट्ठस्सा उग्गमउप्पायणाविसुद्धस्स ।
દવિનોદિવિશુદ્ધસ દો અને તુ વિડન્સ II૭૦ ગા (પિ. નિ. ૫૧૩) સાધુએ આ રીતે ઉદ્ગમના સોળ દોષો અને ઉત્પાદનના સોળ દોષોથી રહિત તથા શંકાદિ દશ દોષોથી રહિત પિંડ ગ્રહણ કરવો. દોષની શંકા હોય તેવો પિંડ ગ્રહણ કરવો નહિ. ઉદ્દગમના સોળ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે. ઉત્પાદનના સોળ દોષો સાધુથી ઉત્પન્ન થાય છે.