________________
૧૫૪
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
૪ અક્ષતયોનિ કરવાથી મૈથુન સેવે. ય ગર્ભ પડાવે તેથી પ્રવચનની મલિનતા થાય. પંચેન્દ્રિય મનુષ્યની હિંસા થાય.
આ રીતે સંયમવિરાધના, આત્મવિરાધના અને પ્રવચનવિરાધના વગેરે દોષો થાય. માટે સાધુએ આવા પ્રકારની ભિક્ષા લેવી કલ્પ નહિ.
મૂલકર્મ કરવાથી આત્મા નરકાદિ દુર્ગતિમાં જાય છે.
ઇતિ ચતુર્દશ,પંચદશ, ષોડશ-ચૂર્ણયોગ-મૂલકર્મ પિંડ દોષ નિરૂપણ.
ઇતિ ઉત્પાદના દોષ નિરૂપણ.