________________
૧૦૭
ઉત્પાદનાના દોષો ઉત્પાદનના ચાર નિક્ષેપા છે. ૧ નામઉત્પાદના, ૨ સ્થાપનાઉત્પાદના, ૩ દ્રવ્યઉત્પાદના, ૪ ભાવઉત્પાદના.
૨ નામઉત્પાદના-ઉત્પાદના એવું કોઈનું પણ નામ હોવું તે. ૨ સ્થાપનાઉત્પાદના-ઉત્પાદનોની સ્થાપના-આકતિ કરી હોય તે. ૩ દ્રવ્યઉત્પાદના-ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્રદ્રવ્ય ઉત્પાદના. ૪ ભાવઉત્પાદના-બે પ્રકારે. આગમ ભાવઉત્પાદન અને નોઆગમ ભાવઉત્પાદના.
આગમથી ભાવઉત્પાદના-એટલે ઉત્પાદનના શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમથી ભાવઉત્પાદના-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત.
પ્રશસ્તઉત્પાદના-એટલે આત્માને લાભ કરનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી ઉત્પાદના.
અપ્રશસ્તઉત્પાદના-એટલે આત્માને નુકશાન કરનારી-કર્મબંધ કરનારી ઉત્પાદના. તે સોળ પ્રકારની અહીં પ્રસ્તુત છે. તે આ પ્રમાણે
धाई दूइ निमित्ते आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया लोभे य हवंति दस एए ।।५४।। पुब्बिंपच्छासंथव विजा मंते य चुन जोगे य । ૩MાયDI રોણા સોલ્ટને મૂરુખે વ ાપી (પિ.નિ.૪૦૮-૪૦૯)