SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ આથી ઉલટું પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતે શ્રમણું નિગ્રંથ આયુષ્ય સિવાયની મજબૂત બંધાએલી સાત કર્મ પ્રકૃતિએને પચી કરે છે. (આયુષ્ય કર્મને કદાચિત્ બાંધે છે ને કદાચિત્ નથી બાંધતો) અને તે સંસારને ઓળંગી જાય છે કારણકે તે પોતાના ધર્મોને ઓળંગતે નથી. પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના જીવોની દરકાર કરે છે. પદાર્થોના સ્વભાવના સંબંધમાં કહે છે કે અસ્થિર પદાર્થો નથી બદલાતા, અસ્થિર પદાર્થ ભાંગે છે, સ્થિર પદાર્થ - નથી ભાંગતા, બાળક શાશ્વત છે. બાળકપણું અશાશ્વત છે, પંડિત શાશ્વત છે, પંડિતપણું અશાશ્વત છે;૮ - પર ૨૮. પાર્શ્વનાથ ભગવાનને શિષ્ય કલાસ્યષિ પુત્ર નામના અણગારે મહાવીર સ્વામીના શિષ્યને પ્રશ્નો પૂછયા કે તમે નીચે મુજબના પદો અને પદાર્થો જાણતા નથી. તેના જવાબમાં મહાવીરના શ્રમણેએ આ પ્રમાણે કહ્યું કે–અમે એ પદાર્થોને આ પ્રમાણે જાણીએ છીએ. સામાચિન-દીક્ષા લીધી તે ક્ષણથી આયુષ્યના છેલ્લા ક્ષણ સુધી સમભાવે રહેવું અને નવાં કર્મોને ઉપાર્જન કરવાં નહીં; તે સામાયિકને અર્થ છે. પ્રચાહન-નવકારશી–પૌરૂષી (પારસી) સાઢપારસી, ચઉવિહાર, ગંઠસી, મુઠસી આદિ પચ્ચકખાણેના નિયમ રાખવા. જેથી આશ્રદ્વાર બંધ થાય. સર્વથા નિયમ વિનાને ગમે તે જ્ઞાની હશે તે એ આશ્રદ્વાર બંધ કરી શકે -તેમ નથી. * સંચમ–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને -ત્રસકાયના જીનું રક્ષણ કરવું, તેને સંયમ કહેવાય છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy