SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧લું ઉદ્દેશક-૯] [૧૦૯ કાલાસ્યવેષિપુત્ર-જે એમજ છે તો પછી તમે ક્રોધાદિને. ત્યાગ કરી શા માટે એ કોધાદિની નિંદા કરે છે? વિરે-સંયમને માટેજ ક્રોધાદિની નિંદા કરીએ છીએ. કાલાસ્યવેષિપુત્ર–નિંદા ગહ એ સંયમ છે કે અસંયમ? સ્થવિરો-નિંદા–ગહ એ સંયમ છે. ગહ બધા દોષોને નાશ. કરે છે. આત્મા સર્વ મિથ્યાત્વને જાણીને ગÚદ્વારા બધા. દેને નાશ કરે છે. એ પ્રમાણે અમારે આત્મા સંયમમાં સ્થાપિત છે. એ પછી કાલાસ્યવેષિપુત્ર એ સ્થવિરેની વાતને સ્વીકાર કરે છે, એટલું જ નહિં પરંતુ પિતાને મત જે ચાર મહાવ્રતવાળો હતો તેને મૂકી ભગવાન મહાવીરનું ચરિત્ર જે પાંચ મહાવ્રત અને પ્રતિકમણ સહિત ( કારણ હોય કે ન હોય પણ પ્રતિકમણ કરવું જ) ધર્મને સ્વીકાર કરે છે. આ પછી શ્રીગૌતમસ્વામીએ પ્રત્યાખ્યાન અને આધાકર્માદિ સંબંધી પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં ભગવાને સ્પષ્ટ - કર્યું છે કે–એક શેઠ, એક દરિદ્ર, એક લોભીઓ અને એક ક્ષત્રિય (રાજા) એ બધા એક સાથે અપ્રત્યાખ્યાન ક્રિયા કરી શકે છે. આ વચન અવિરતિને આશ્રીને છે. આધાકર્મ દેલવાળા આહારને ખાતે શ્રમણ આયુષ્ય. સિવાયની અને પચે બંધને બંધાએલી સાત પ્રકૃતિઓને મજબૂત બંધને બાંધેલી કરે છે, અને સંસારમાં વારંવાર ભમે છે. કારણકે તેમ કરવાવાળે શ્રમણ પિતાના ધર્મને ઓળંગી જાય છે, તે પૃથ્વીકાય કે ચાવત્ ત્રસકાયની પણ દરકાર કરતા નથી.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy