SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ ગુજરાતી પ્રશ્નોત્તર મનુષ્યોમાં આવેલો ૪. એ ઉભયથા પણ હોય, ઉદ્વર્તમાન અપાંતરાલગતિમાં બધા કાંઈપણ પ્રાપ્ત કરતા નથી. પૂર્વપ્રતિપન્ન બંનેના હોય. આશ્રવક-નિશ્રાવક :- જે સમ્યક્તાદિ સામાયિક પ્રાપ્ત કરે છે તેના આવારક મિથ્યાત્વ મોહાદિકર્મને નિશ્રાવતો અને શેષકર્મ બાંધતો પણ જીવ ૪ માંથી અન્યતર પ્રાપ્ત કરે છે. જે પૂર્વપ્રતિપન્નક છે તે નિશ્રાવક-અથવા આશ્રાવક હોય. અલંકારાદિ ઉન્મુક્ત દ્વાર :- કેશ-કેયૂર-કંકણ-કટક-હાર-વસ્ત્ર-તાંબૂલાદિ અલંકાર એ પરિત્યક્ત, અપરિત્યક્ત પરિત્યજતે છતે ૪ માંથી અન્યતર-પ્રાપ્ત કરે. ઉદા૦ ભરતાદિ, એમ શયનાસન, સ્થાન, ચંક્રમણનો પરિત્યક્ત, અપરિત્યક્ત, પરિત્યજ્યમાન છતે ૪ માંથી અન્યતા પ્રાપ્ત કરે, પૂર્વપ્રતિપન્ન છે. (૧૭) દ્વાર :- સમ્યક્ત સર્વ દ્રવ્ય-પર્યાયગત છે. તે સર્વદ્રવ્ય-પર્યાયની શ્રદ્ધારૂપ છે. શ્રુત સામાયિકમાં સર્વદ્રવ્યો વિષય થાય છે. સર્વે પર્યાયો તેના વિષય નથી. કારણ કે, શ્રુત અભિલાપનો વિષય છે. અને પર્યાયો અભિલાપ્ય અને અનભિલાપ્ય પણ છે. અનભિલાપ્ય ભાવોના અનંતમાં ભાગે અભિલાપ્ય ભાવો હોય છે. એટલે શ્રુતજ્ઞાન ફક્ત અભિલાપ્ય વિષયવાળું જ છે. ચારિત્રની પણ પદમમિ સવ્યગીવા (ગા.૨૬૩૭)થી સર્વદ્રવ્ય-અસર્વદ્રવ્ય વિષયતા પ્રતિપાદિત થયેલી છે. દેશવિરતિ આશ્રયીને બંનેનો પ્રતિષેધ કરાય છે. દેશવિરતિ સામાયિક સર્વદ્રવ્ય વિષય નથી કે સર્વપર્યાય વિષય પણ નથી. બીજા-છેલ્લાવ્રતમાં ચારિત્ર સર્વદ્રવ્યોમાં પ્રવર્તે છે, સર્વપર્યાયોમાં નહિ. મૃષાવાદ વચનરૂપ છે અને પરિગ્રહ મૂચ્છ વિકલ્પાત્મક છે. એટલે સર્વદ્રવ્યોમાં જ પ્રવૃત્તિ છે. કારણ દ્રવ્યો જ અભિલાપ્ય વિષય છે. પર્યાયો તો અભિલાપ્ય-અનભિલાપ્ય પણ છે. એટલે જ સર્વપર્યાયોનો ચારિત્રમાં અનુપયોગ છે. તે અનભિલાપ્યાશ્રીને શેષ ત્રણ મહાવ્રતો તો સર્વદ્રવ્યવિષયો પણ નથી તો સર્વપર્યાયવિષયની તો વાત જ ક્યાં રહી? એટલે બીજા-ચરમ વ્રતાશ્રયીને ચારિત્ર સર્વદ્રવ્ય-અસર્વપર્યાય વિષય છે. પ્રશ્ન-૧૦૫૪ – સંયમ શ્રેણીમાં સર્વજઘન્ય તરીકે જે પ્રથમ સંયમ સ્થાન છે તે પણ પર્યાયોને આશ્રીને સર્વાકાશ પ્રદેશના અનંતગુણ પર્યાય રાશિયુક્ત આગમમાં કહ્યું છે. જેટલા સર્વ લોકાલોક આકાશના પ્રદેશો છે તેના અનંતગુણ પર્યાય રાશિ યુક્ત પ્રથમ સંયમસ્થાન પણ આગમમાં કહ્યું છે. તેનાથી અન્ય વિશુદ્ધિથી અનંતભાગ વૃદ્ધ, તે પછી અસંખ્યભાગ વૃદ્ધ, તે પછી સંખ્યભાગવૃદ્ધ, તે પછી સંખ્યાતગુણ વૃદ્ધ, અસંખ્યગુણવૃદ્ધ, અનંતગુણવૃદ્ધ એમ વારંવાર કરાતી ષડ્રિવધ પરિવૃદ્ધિથી અસંખ્યલોકાકાશપ્રમાણ ષસ્થાનકોથી સંયમશ્રેણી નિષ્પન્ન થાય છે. તો તેથી અન્ય સમધિક પર્યાયો ક્યા છે કે જે સર્વાનુમાવી એ વચનથી ચારિત્રવિષય
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy