SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ . શ્રી વિશેષાવશ્યક ભાષ્ય, છે. તેથી જેમ આરીસો સફેદ છતાં જપાકુસુમાદિ વસ્તુ પ્રતિબિંબની સંક્રાંતિમાં રક્તાદિરૂપતા પ્રાપ્ત કરે છે. તેમ કૃષ્ણાદિ અશુભ દ્રવ્યો પણ તેજઆદિ શુભદ્રવ્યના પ્રતિબિંબ સંક્રમમાં નિજરૂપની ઉત્કટતાને છોડીને તેની આભાસતા પ્રાપ્ત કરે છે. તેથી નારકાદિના પણ કૃષ્ણાદિ અશુભદ્રવ્યાનુભાવને મંદ કરીને શુભ તૈજઆદિ દ્રવ્યો શુભ ભાવલેશ્યા ઉત્પન્ન કરે છે, એટલે અવસ્થિત કૃષ્ણાદિલેશ્યા છતે નારક-દેવોને સમ્યક્તાદિ લાભ કાળે શુભ ભાવલેશ્યાનો સંભવ વિરુદ્ધ નથી. પરિણામ દ્વારઃ- વર્ધમાન પરિણામવાળો જીવ પરિણામની વૃદ્ધિમાં ચારમાંથી કોઈ એકને પ્રાપ્ત કરે છે. એમજ પૂર્વોક્ત ન્યાયથી અન્તરકરણાદિ અવસ્થિત છતાં શુભ પરિણામ છતાં તે ચારમાંથી અન્યતર પ્રાપ્ત કરે છે. હીયમાન-ક્ષીયમાન શુભ પરિણામમાં જીવ સંમ્પિષ્ટ પરિણામવાળો થતો હોવાથી કોઈપણ સામાયિક પામતો નથી. પૂર્વપ્રતિપન્ન ત્રણે પરિણામોમાં હોય છે. વેદના-સમુદ્યાત દ્વાર :- સાતા-અસાતા બંને વેદનામાં ચારમાંથી અન્યતર પ્રાપ્ત કરે છે. અને પ્રતિપન્નક છે. સમુદ્યાત-કેવલિ આદિ સમુદ્યાતથી સમવહતનો વિપક્ષ-અસમવહત. વેદનાવત્, કેવલિઆદિ સાત પ્રકારના સમુદ્યાતથી સમવહત જીવ કોઈપણ સામાયિકને પ્રાપ્ત કરતો નથી. પૂર્વપ્રતિપન્નકમાં ભજના છે સમવહત જીવને બે કે ત્રણ સામાયિકની પૂર્વપ્રતિપત્તિ હોય છે. કેવલિ સમુદ્ધાતમાં સમ્યક્ત-ચારિત્ર સામાયિક પૂર્વપ્રતિપત્રક પ્રાપ્ત કરે છે. શેષ સમુદ્યાતોમાં દેશવિરતિ અથવા ચારિત્ર વિના ત્રણનો પૂર્વપ્રતિપન્નક પ્રાપ્ત થાય છે. - નિર્વેષ્ટન-ઉદ્વર્તન દ્વરા - દ્રવ્યથી સામાન્યથી સર્વ કર્મપ્રદેશોને વિશેષથી ૪ પ્રકારના સામાયિકના આવરણ-જ્ઞાનાવરણ મોહનીયલક્ષણના કર્મપ્રદેશોને નિર્જરતો અને ભાવથી ક્રોધાદિ અધ્યવાસયોને નિર્જરતો ચારમાંથી અન્યતા પ્રાપ્ત કરે છે. પૂર્વપ્રતિપન્ન છે જ. સંવેષ્ટ કરતો અનંતાનુબંધી કર્મના ઉદયે કોઈપણ સામાયિકને પ્રાપ્ત કરતો નથી શેષ કર્મોને આશ્રયી બંને ય છે. નરકોમાં અધિકરણભૂત છતે અનુદ્ધર્તન કરતો જીવ પ્રથમ બે સામાયિક પ્રાપ્ત કરે છે પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. ત્યાંથી ઉદ્ધરેલો કદાચ તિર્યંચમાં ઉત્પન્ન થયેલો સર્વવિરતિ વિના ત્રણ પ્રાપ્ત કરે. ક્યારેક મનુષ્યમાં ઉત્પન્ન થયેલો ૪ પણ પ્રાપ્ત કરે પૂર્વ પ્રતિપન્ન છે જ. ગર્ભજ તિર્યંચમાં અનુદ્ધરિત પ્રથમ ત્રણને આશ્રયીને પ્રતિપતા-પૂર્વપ્રતિપન્ન તિર્યંચમાંથી ઉદ્ભરેલો મનુષ્યાદિમાં આવેલો ક્યારેક ૪, ક્યારેક ૩, ક્યારેક ૨ આશ્રયી ઉભયથા હોય છે. મનુષ્યમાંથી તત્રસ્થ ન ઉદ્ભરેલો ૪. મનુષ્યમાંથી ઉદ્ધરી દેવનારકમાં ઉત્પન્ન-પ્રથમ ૨, તિર્યંચમાં પ્રથમ-૩, દેવોમાં-તત્ર-પ્રથમ ૨, તિર્યંચમાં આવેલો ઉભયથા આઘત્રિક,
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy