SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૯૧ ઉપવાસાદિ વૈદે બતાવવા છતાં નાન્યાદિક તેનો વેશ કરતો અને સ્વેચ્છાથી સર્વરસોને તેની જેમ ખાતો તેના ચરિત્રને આચરનારો સંનિપાતથી જ મરે છે. તેથી વૈદોપદેશનું અનુષ્ઠાન જ રોગીના રોગનાશનું કારણ છે. પ્રસ્તુતમાં તે રીતે જ જિન વૈદ્યનો આદેશ કરનાર તેના વેશચરિત્રને ન આચરતો છતો કર્મરોગથી વિયોગ પામે છે. પરંતુ તેમના આદેશને ન કરતો તેમના વેશ-ચરિત્રને ધારણ કરતા છતા તે મુક્ત થતો નથી. અને જો તું તીર્થકરના વેશચરિત્રનો અનુવર્તી છે તો સર્વથા તેમની સાથે તારું સાધર્યુ છે કે દેશથી ? પ્રથમપક્ષ-તો જે તેઓ કરે છે તે સર્વ આપે કરવું જોઈએ, એટલે જેમ તેઓ સ્વયંબુદ્ધ હોવાથી પર ઉપદેશથી રહેતા નથી અને છદ્મસ્થાવસ્થામાં પ્રતિબોધ માટે પરને ઉપદેશ આપતા નથી અને શિષ્ય વર્ગને દીક્ષા આપતા નથી, તેમ શેષ તેમના શિષ્ય-પ્રશિષ્યોએ એ બધું તારા મતથી કરવું જોઈએ. પ્રશ્ન-૧૦૨૦ – તો ભલે એમ થાય શું દોષ છે? ઉત્તર-૧૦૨૦– જો એમ હોય તો કોઈને પણ પ્રતિબોધ અભાવે અને દીક્ષાદિ અભાવે તીર્થ ક્યાંથી? એટલે તેમની સાથે સર્વ સાધર્મ કહેવાય છે તો “અચેલો છું થાઉ” એવો તારો કેવો આગ્રહ છે ? જેમ જિનેન્દ્રો સાથે સર્વાતિશયોથી સર્વસાધર્મ તને અભિમત નથી. પરંતુ કાંઈક સાધમ્ય જ માન્ય છે. તે રીતે લિંગ અને ચરિત્રથી કાંઈક સાધમ્મ જ તેમની સાથે અમને માન્ય છે. સર્વસાધર્મે નહિ, તે કાંઈક લિંગથી-લોચ કરવામાત્રથી છે અચેલત્વથી નહિ. ચરિતથી તો એષણીયાહારપરિભોગ-અનિયત વાસાદિથી છે નહિ કે પાણીભોજીત્વેન. તેથી કાંઈક સાધર્મ્સની ઉક્તન્યાયથી અન્યરીતે પણ સિદ્ધિ થવાથી તારો અચલતાનો આગ્રહ કેવો છે? તદિનો નં ૪ લાખો” એવું કોણ નથી માનતું? ફક્ત જેવા પુરુષોનો જ વિધિથી તેમણે કહ્યો છે તે સાંભળ-ઉત્તમકૃતિ સંહનનવાળા, પૂર્વધર-જઘન્યથી કાંઈક ન્યૂન નવપૂર્વધર, સર્વદા નિરૂપણ શક્તિઆદિ અતિશયથી સંપન્ન જિનકલ્પિઓ પણ હવે સુરેન સત્તે પૂર્વોક્તવિધિથી કૃતપરિકર્મવાળા જ જિનકલ્પ સ્વીકારે છે. તેથી જો જિનવચનથી તું જિનકલ્પ સ્વીકારે છે તો તે જિનકલ્પ વ્યવચ્છિન્ન થયેલો પણ માન. જો નહિ માને તો જિકલ્પ છે એવું જિનવચન તને કઈ રીતે પ્રમાણ થશે? અને એનો વિચ્છેદ કેમ અપ્રમાણ થાય? (ચં.૨૨,૦૦૦) નીયત્નપરિસદ મુળ" એ તો એમ પણ માનીએ છીએ. ફક્ત એટલું જ તને પૂછીએ છીએ કે શું ચેલ ભોગમાત્રથી જ અચેલક પરિષહનો જય નથી થતો કે જેથી સર્વથા તું વસ્ત્ર
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy