SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ४९७ समवायांगसूत्र तथा-विकथानुयोगः-अर्थकामोपायप्रतिपादनपराणि कामन्दकवात्स्यायनादीनि भरतादीनि वा शास्त्राणि । विद्यानुयोगः-रोहिणीप्रभृतिविद्यासाधनाभिधायकानि शास्त्राणि, मंत्रानुयोग:चेटकादिमंत्रसाधकाभिधायकानि शास्त्राणि, योगानुयोग:-वशीकरणादिकानि हरमेखलादियोगाभिधायकशास्त्राणि, अन्यतीथिकेभ्यः कपिलादिभ्यः सकाशाद्यः प्रवृत्तः स्वकीयाचारवस्तुतत्त्वानां विचारः सोऽन्यतीर्थिकप्रवृत्तानुयोग इति ॥२६॥ ઉપરોક્ત નરકગતિ કર્મના બંધ કારણભૂત ૨૯ પાપશાસ્ત્રો હવે કહે છે. પાપના ઉપાદાનનું કારણભૂત શ્રુત એનું નામ પાપશ્રુત, તેમાં ભૌમ :- ભૂમિના વિકારોના દર્શનથી (ધરતીકંપ આદિ) આવા વિકારથી આવું થશે એવું ફળ કથન કરવામાં પ્રવૃત્ત એવું નિમિત્તશાસ્ત્ર ભૌમ કહેવાય છે. તેના ત્રણ ભેદો સૂત્ર-વૃત્તિ અને વાર્તિક ત્રણભેદવાળુ ભૌમ શાસ્ત્ર એજ રીતે ઉત્પાદ વગેરેના પણ ત્રણ ત્રણ ભેદો સમજવા. તે આઠ આઠ ભૌમાદિ શાસ્ત્રોમાં અંગ શાસ્ત્રને છોડી અન્ય નિમિત્તશાસ્ત્રોના સૂત્ર હજાર પ્રમાણનું છે. વૃત્તિ લાખ શ્લોક પ્રમાણ છે. અને વાર્તિક કરોડ શ્લોક પ્રમાણ છે જ્યારે અંગ શાસ્ત્રનું સૂત્ર તો લાખ શ્લોક પ્રમાણ છે. વૃત્તિ કરોડ શ્લોક પ્રમાણ છે. જયારે વાર્તિક અપરિમિત છે. ઉત્પાતશ્રુત - સ્વાભાવિક થયેલ રૂધિર વગેરેની વૃષ્ટિ રૂપ ઉત્પાત દ્વારા ભાવિફલનું કથન કરનારુ નિમિત્ત શાસ્ત્ર છે. સ્વપ્ર - (વિવિધ પ્રકારના) સ્વપ્રોના ફલનું પ્રકાશન કરનારું શાસ્ત્ર. અન્તરિક્ષ :- આકાશમાં થતા ગ્રહયુદ્ધ વગેરે ભાવના ફલને જણાવનાર શાસ્ત્ર. અંગ :- શરીરના વિવિધ અવયવ પ્રમાણ – સ્કૂરણ આદિ રૂપ વિકારોથી ફલ કથન કરનાર શાસ્ત્ર. સ્વર :- જીવ કે અજીવ આશ્રિત સ્વર (ધ્વનિ) ના સ્વરૂપથી ફલ કથન કરનારું શાસ્ત્ર. વ્યસ્જન :- મસા વગેરે વિવિધ ચિહ્નોના ફળને કહેનારું શાસ્ત્ર. લક્ષણ :- શરીર પર રહેલા લાંછનો ચિહ્નો વગેરે અનેકવિધ લક્ષણોની વિચારણા કરનારું શાસ્ત્ર. આ બધાની સૂત્ર-વૃત્તિ ને વાર્તિક વગેરે એમ ત્રણ ભેદ કરતા ૨૪ પાપગ્રુત થયાં. તેમજ વિકથાનુયોગ - અર્થ અને કામના ઉપાય બતાવનાર કામદક વાત્સ્યાયન ભરત વગેરે શાસ્ત્રો વિદ્યાનુયોગ :- રોહિણી વગેરે વિદ્યાનું સાધન બતાવનારા શાસ્ત્રો. મંત્રાનુયોગ :- ચેટક (સુદ્રદેવો) વગેરેના મંત્રની સાધના બતાવનારા શાસ્ત્રો. યોગાનુયોગ :- વશીકરણ વગેરે. હર મેખલા (હરતાલ વગેરે) ના વિવિધ પ્રકારના યોગ (તંત્રપ્રયોગો) કહેનારા શાસ્ત્રો. અન્યતીર્થિક પ્રવૃત્તાનુયોગ :- અન્યતીર્થિક કપિલ વગેરેથી પ્રવૃત્ત થયેલા પોત પોતાના આચારો ને તત્ત્વોનો વિચાર કહેનારા શાસ્ત્રો. (આમ ૨૪૫ ઉમેરતા ૨૯ પાપકૃત થયા) Il૨૬ पापश्रुतप्रवक्ता च महामोहनीयस्थानपात्येवेति मोहनीयस्थानान्याहत्रिंशन्महामोहनीयस्थानानि महावीरेण प्रवेदितानि ॥२७॥
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy