SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ • ૯૬મા સમવાયમાં ચક્રવર્તીના ગામ, વાયુકુમારના ભવન, દંડ ધનુષનું અંગુલ પ્રમાણ વગેરે વર્ણિત છે. • ૯૭માં સમવાયમાં આઠ કર્મોની ઉત્તર પ્રવૃતિઓ વગેરેનું વર્ણન છે. • ૯૮મા સમવાયમાં નંદનવનના ઉપરના ભાગથી પાંડુકવનના અધોભાગનું અંતર વર્ણિત છે. • ૯૯મા સમવાયમાં મેરુ પર્વતની ઊંચાઈ વગેરે વર્ણન છે. • ૧૦૦મા સમવાયમાં ભગવાન સુવિધિનાથની ઊંચાઈ, ભગવાન પાર્શ્વનાથનું આયુ વગેરે વર્ણિત છે. • ૧૫૦મા સમવાયમાં ભગવાન ચંદ્રપ્રભુની ઊંચાઈ, આરણ, અશ્રુતકલ્પના વિમાન વગેરેનું વર્ણન છે. • ૨૦૦મા સમવાયમાં સુપાર્શ્વનાથની ઊંચાઈ વગેરે વર્ણિત છે. • ૨૫૦મા સમવાયમાં ભગવાન પદ્મપ્રભુની ઊંચાઈ, અસુરકુમારોના પ્રાસાદોની ઊંચાઈ વગેરે વર્ણિત છે. • ૩00મા સમવાયમાં ભગવાન સુમતિનાથની ઊંચાઈ, ભગવાન મહાવીર સ્વામીના ચૌદ પૂર્વીય મુનિ વગેરેનું વર્ણન છે. ૩૫૦મા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથના ચૌદ પૂર્વધારી મુનિ, ભગવાન અભિનંદનની . ઊંચાઈ વગેરેનું વર્ણન છે. ૪૦૦મા સમવાયમાં ભગવાન સંભવનાથની ઊંચાઈ વગેરેનું વર્ણન કરી અંતે ભગવાન મહાવીરના ઉત્કૃષ્ટવાદી મુનિનું વર્ણન છે. ૪૫૦મા સમવાયમાં ભગવાન અજિતનાથની અને સગરચક્રવર્તીની ઊંચાઈ વગેરેનું વર્ણન છે. • ૫૦૦મા સમવાયમાં ભગવાન ઋષભદેવની, ભરત ચક્રવર્તીની તથા વિવિધ પર્વતોની ઊંચાઈ વગેરેનું વર્ણન છે. • ૬૦૦મા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથના આદિમુનિ, ભગવાન વાસુપૂજ્યની સાથે દીક્ષિત થયેલા મુનિઓનું વર્ણન છે. • ૭00મા સમવાયમાં ભગવાન મહાવીરના કેવલજ્ઞાની શિષ્યો અને ભગવાન અરિષ્ટનેમિનો કેવલી-પર્યાય વર્ણિત છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy