________________
स्थानांगसूत्र
३७१ स्वदेहविष्कम्भमूर्ध्वमधश्चाऽऽयतमुभयतोऽपि लोकान्तगामिनं जीवप्रदेशसंघातं दण्डमिव दण्डं केवली ज्ञानाभोगतः करोति, द्वितीये तु तमेव दण्डं पूर्वापरदिग्द्वयप्रसारणात् पार्श्वतो लोकान्तगामि कपाटमिव कपाटं करोति, तृतीये तदेव दक्षिणोत्तरदिग्द्वये प्रसारणान्मन्थानं लोकान्तप्रापिणं करोति, एवं च लोकस्य प्रायो बहु पूरितं भवति, मन्थान्तराण्यपूरितानि भवन्ति, अनुश्रेणिगमनाज्जीवप्रदेशानामिति, चतुर्थे तु समये मन्थान्तराण्यपि सकललोक निष्कुटैः सह पूरयति, ततश्च सकलो लोकः पूरितो भवति, तदनन्तरमेव पञ्चमे समये यथोक्तप्रतिलोमं मन्थान्तराणि संहरति-जीवप्रदेशान् सकर्मकान् संकोचयति, षष्ठे मन्थानमुपसंहरति, घनतरसंकोचात् सप्तमे कपाटमुपसंहरति दण्डात्मनि संकोचात्, अष्टमे दण्डमुपसंहृत्य शरीरस्य एव भवति तत्र च "औदारिकप्रयोक्ता प्रथमाष्टमसमययोरसाविष्टः । मिश्रौदारिकयोक्ता सप्तमषष्ठद्वितीयेषु ॥ कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च । समयत्रये च तस्मिन् भवत्यनाहारको नियमात् ॥" इति, वाङ्मनसोस्त्वप्रयोक्तैव, प्रयोजनाभावादिति, इत्येवमष्टसामयिकः केवलिसमुद्धातो न शेष इति ॥२०२।।
આવા પ્રકારના ગુણ વિશેષથી વિશિષ્ટ અપ્રમાદી એવો કોઈ કેવલી થઈને વેદનીય આદિ કર્મની સ્થિતિઓને આયુષ્ય કર્મની સ્થિતિની સાથે સમાન કરવા માટે કેવલી સમુદ્દાત કરે છે માટે કેવલી સમુદ્દાત કહે છે.
સમુદ્ધાતનો પ્રારંભ કરનાર પહેલા અવશ્ય આવર્જીકરણ કરે છે. અર્થાત્ અંતર્મુહૂર્ત પ્રમાણ, ઉદયાવલિમાં નહીં આવેલ કર્મોને ઉદયાવલિમાં પ્રક્ષેપવારૂપ વ્યાપાર-પ્રયોગ કરે છે. ત્યાર પછી સમુદ્યાત પામે છે - કરે છે. તેમાં પહેલા સમયે પોતાના દેહ પ્રમાણે પહોળો અને ઊંચ-નીચે લાંબો બંને તરફ લોકાંત સુધી જવાવાળો જીવના પ્રદેશોના સમૂહરૂપ દંડની જેમ દંડને કેવલી જ્ઞાનના ઉપયોગથી કરે છે.
બીજે સમયે તો તે જ દંડને પૂર્વ અને પશ્ચિમ એ બે દિશામાં ફેલાવવાથી બંને પડખે લોકાંતગામી કપાટની જેમ કપાટ કરે છે. - ત્રીજા સમયે તે જ દંડને દક્ષિણ અને ઉત્તર એ બે દિશામાં પ્રસારવા મંથાન (રવૈયો) કરે છે. તે લોકાંત સુધી પહોંચનારો જ હોય છે. એ પ્રમાણે કરવાથી પ્રાયઃ લોકને બહુ પૂરેલું હોય છે. પરંતુ મંથાનના આંતરાઓ પૂરેલા હોતા નથી. જેમકે જીવના પ્રદેશોનું ગમન સમશ્રેણીએ હોવાથી તે રવૈયાના આંતરાઓ ખાલી રહે છે.
ચોથા સમયે મંથાનના આંતરાઓને પણ સમસ્ત લોકના નિષ્ફટોની સાથે પૂરે છે. તેથી સમસ્ત લોક પૂરાયેલો થાય છે.