SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र १४३ कर्म दुःखाय देहिनां भवतीति प्रतिपद्यन्ते तर्हि शोभनम्, तथा चाकृत्वाऽकृत्वा कर्म देहिनो वेदनामनुभवन्तीन्यन्यतीथिकानां प्ररूपणा, तां निरस्यति तन्नेति, अज्ञानोपहतबुद्धीनां तत्प्ररूपणं मिथ्या, अकृतकर्मानुभवने हि बद्धमुक्तसुखित्वदुःखित्वादिप्रतिनियतव्यवहारो न भवेत्, तस्मात् कृतं कर्म दुःखाय भवति, कृत्वा कृत्वा देहिनः कर्मकृतशुभाशुभानुभूतिमनुभवन्तीति सम्यग्वादिनां वक्तव्यमिति भावः ।।५९॥ હવે અન્યતીર્થીકના મતનું નિરાકરણ કરાય છે... પ્રસ્તુત સૂત્રમાં અન્યતીર્થકો દ્વારા કથિત ક્રિયા સંબંધી ચાર ભંગ છે તેમાં ત્રણ ભંગનો નિષેધ છે, ચોથા “અકૃત કર્મ નો સ્વીકાર કરતાં તે વિષયક પ્રશ્ન છે. | નિગ્રંથ મત : (૧) કૃતા ક્રિયતે :- કરેલું કર્મ દુઃખ માટે થાય છે. (નિર્ગથ મત) કૃત એટલે ભૂતકાળમાં કરેલ, ભૂતકાળ અપ્રત્યક્ષ છે તે અવિદ્યમાન છે, તેથી આ મત તેઓને અમાન્ય છે.) (૨) કૃતા ન ક્રિયતે - “કરેલું કર્મ દુઃખ માટે થતું નથી' એમ કેમ કહેવાય છે? કારણ કે અત્યંત વિરોધ વડે અસંભવ હોય છે. કરેલું કાર્ય દુઃખ માટે ન થાય તો કરેલું કેમ કહેવાય? કારણ કે કરેલાં કર્મનો ન થવા રૂપ અભાવ હોય છે અર્થાત્ કર્મો દુઃખ માટે થાય છે. (૩) અકૃતા ન જિયતે :- નહીં કરેલું કર્મ દુઃખ માટે થતું નથી. નહીં કરેલ અને અવિદ્યમાન કર્મ ગધેડાના શિંગડાની જેમ હોતું જ નથી. આમ આ મત પણ તેમને માન્ય નથી નિગ્રંથ માન્ય આ ત્રણ ભંગના નિષેધને આશ્રયીને આ સૂત્રનો ત્રણ સ્થાનકમાં અવતાર કરેલ છે, એમ સંભાવના કરાય છે. (૪) અકૃતા ક્રિયતે :- તે ચતુર્થ ભંગને તેઓ પૂછે છે, પહેલાં ન કરેલું કર્મ દુઃખ માટે થાય છે, અર્થાત્ કર્મ મત તેઓને સ્વીકાર્ય છે. ભૂતકાળમાં કરેલ કર્મના અપ્રત્યક્ષપણાથી તેમજ અવિદ્યમાનપણાથી અને દુઃખનો અનુભવ પ્રત્યક્ષ હોવાથી વિદ્યમાનપણાએ નહીં કરેલ કર્મનું દુઃખ થવું આ મત પરતિર્થીકને માન્ય છે. તેઓનો અભિપ્રાય છે કે – જો નિગ્રંથો પણ નહીં કરેલું જ કર્મ પ્રાણીઓને દુઃખને માટે થાય છે એમ સ્વીકારે તો સારું. આમ નહીં કરેલા કર્મને પ્રાણીઓ અનુભવે છે તેવા અન્ય તિર્થીકોના મતનું નિરાકરણ કરતાં કહે છે. અજ્ઞાનથી હણાયેલ બુદ્ધિવાળા અન્ય તિર્થકોનો આ મત મિથ્યા છે નહીં કરેલા કર્મનો જો અનુભવ થતો હોય તો બદ્ધ, મુક્ત, સુખીપણું... દુઃખીપણું ઇત્યાદિ જે નિશ્ચિત વ્યવહાર થાય છે તેના અભાવનો પ્રસંગ આવે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy