SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ १९० सूत्रार्थमुक्तावलिः મનુષ્યલોક સંબંધી જે દુઃખ કહેલું છે તે દુઃખનાં કારણને કુશળતાપૂર્વક સમજાવે છે. તે દુઃખ કર્મના કારણે છે (કરેલા કર્મને.) તે કર્મ આઠ પ્રકારને અને તેના આશ્રદ્વાર (આવવાના કારણ.)ને જ્ઞપરિજ્ઞાવડે જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાવડે ત્યાગ કરીને તે આશ્રવ દ્વારોમાં ત્રણ યોગ, ત્રણ કરણ વિ. સર્વ પ્રકારે પ્રવૃત્તિ ન કરવી જોઈએ. એ પ્રમાણે સર્વ જાણીને કહે છે. આવું સર્વાશ જ્ઞાન કેવલી, ગણધર કે ચૌદપૂર્વેને હોય છે. આવા પ્રકારનો ઉપદેશક મોક્ષમાર્ગ સિવાય બીજે રમણ કરતો નથી. સ્વયં રાગ-દ્વેષ રહિત હોવાથી બીજાના ઉપકારની બુદ્ધિથી જ કહે છે. તેથી જ ભિક્ષક હોય કે ચક્રવર્તી બંને સમાનપણે (એકરૂપપણે) ગ્રહણ કરી. શકે તેવો ઉપદેશ આપે છે અને આવો ઉપદેશક જ પ્રાણીઓને આઠ કર્મને બાંધતા અટકાવી શકે છે. (આઠ કર્મથી છોડાવી શકે છે.) પુણ્યશાલી, અપુણ્યશાલી બંનેમાં ધર્મ જણાવવાની સમાનદષ્ટિ તેમજ સાંભળનારા જીવોની વિવેચન શક્તિને જાણતા હોવાથી (કર્મથી છોડાવી શકે છે.) આ પ્રમાણે ધર્મકથા કઈ રીતે કહેવી તેને જાણનાર, આઠ પ્રકારના કર્મથી બંધાયેલા જીવોને છોડાવનાર, કર્મને દૂર કરવામાં ચતુર, સત્યપથ પર રહેલો, કુમાર્ગને દૂર કરવાની ઈચ્છાવાળો, સર્વસંવરરૂપ ચારિત્રથી યુક્ત મુનિ, કેવલજ્ઞાનીઓ વડે અથવા વિશિષ્ટ મુનિઓ વડે જેનો આરંભ નથી કરાયો, તેનો આરંભ નથી કરતો અને મોક્ષના કારણભૂત જે આચરણ કરાયું છે તેનું આચરણ કરે છે. રક્ષા ___ अथ व्रतिनः संयमव्यवस्थितस्य विजितकषायादिलोकस्य मुमुक्षोरनुकूलप्रतिकूलपरीषहसम्भवे तेऽविकृतचेतसा सोढव्या इत्याख्याति सुप्तजाग्रदोषगुणज्ञः शीतोष्णसहः कर्ममोचकः ॥ २८ ॥ सुप्तेति, साधुर्हि निरन्तरं जागृतः, सज्ज्ञानवत्त्वान्मोक्षमार्गाविचलत्वादनवरतं हिताहितप्राप्तिपरिहारव्यापृतत्वाच्च, सुप्तश्च द्रव्यतो भावतश्चेति द्विविधः, निद्राप्रमादवान् द्रव्यसुप्तः, मिथ्यात्वाज्ञानमयमहानिद्राव्यामोहितो भावसुप्तः, मिथ्यादृष्टिस्तु सततं भावसुप्तः, सद्विज्ञानानुष्ठानविकलत्वात्, निद्रया तु भजनीयः, द्रव्यनिद्रोपगतोऽपि क्वचिद्वितीयपौरुष्यादौ साधुः सततं जागरूक एव भावतः, अपगतमिथ्यात्वादिनिद्रयाऽवाप्तसम्यक्त्वादिबोधत्वादेवञ्च धर्मं प्रतीत्य सुप्तजाग्रदवस्थे उक्ते । द्रव्यनिद्रासुप्तस्य तु धर्मः स्याद्वा न वा, भावतो जागरणे निद्रासुप्तस्यापि धर्मः स्यादेव, भावतोऽजाग्रतो निद्राप्रमादावष्टब्धान्तःकरणस्य न स्यादपि, द्रव्यभावसुप्तस्य तु न स्यादेव । कथं द्रव्यसुप्तस्य धर्मो न भवतीति चेदुच्यते, द्रव्यसुप्तो हि निद्रया भवति, सा च दुरन्ता, स्त्यानद्धित्रिकोदये भवसिद्धिकस्यापि सम्यक्त्वावाप्तेरभावात्, तद्वन्धश्च मिथ्यादृष्टिसास्वादनयोरनन्तानुबन्धिबन्धसहचरितः, क्षयस्त्वनिवृत्तिबादरगुणस्थान
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy