SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-3 બીજો કોઇ ઉપાય નહિ સુઝવાથી તેણે પોતાની આંખ કાઢીને મહાદેવને અર્પણ કરી. આ કૃત્ય અજ્ઞાનતાવાળું હોવા છતાં પણ આ કૃત્યની પાછળ જે ભક્તિભાવ રહેલો છે, તે અનુકરણીય છે અને એથી જ શાસ્ત્રકાર મહાત્માઓ અવસરે આવાં લૌકિક દ્રષ્ટાન્તોને પણ આગળ ધરે છે. દેવ-ગુરૂ પ્રત્યે જેઓના હૈયામાં ભક્તિભાવ હોય છે, તેઓ દેવ-ગુરૂનાં કામ પોતાનાં સાંસારિક સઘળાંય કાર્યોથી પણ અધિક આદરથી કરે છે. એનું કારણ એ છે કે-સઘળાય સંસારી જીવોને પોતાના દેહ, પોતાના દ્રવ્ય અને પોતાના કુટુમ્બ ઉપર જેવો પ્રીતિભાવ હોય છે, તેવો જ પ્રીતિભાવ, મોક્ષના અભિલાષી. શ્રાવકને શ્રી જિનપ્રતિમા, શ્રી જિનમત અને શ્રીસંઘ ઉપર હોય છે. શ્રી જિનપ્રતિમા ઉપર તેને પોતાના દેહથી પણ અધિક પ્રીતિ હોય છે, શ્રી જિનમત ઉપર તેને પોતાના દ્રવ્યથી પણ અધિક પ્રીતિ હોય છે અને શ્રીસંઘ ઉપર તેને પોતાના કુટુંબથી પણ અધિક પ્રીતિ હોય છે. પોતાના દેહ, દ્રવ્ય અને કુટુમ્બ ઉપરની પોતાની પ્રીતિને તે તજવા યોગ્ય માને છે. જ્યારે શ્રી જિનમન્દિર, શ્રી જિનમત અને શ્રીસંઘ ઉપરની પ્રીતિને તે તારક માને છે. વિરતિને પામવાનો ક્રમ ૯૨ શ્રી જિનપૂજા જો સારી રીતિએ કરવી હોય અને તેના શાસ્ત્રકાર પરમર્ષિઓએ વર્ણવેલા સર્વોત્તમ ફ્લને જો પ્રાપ્ત કરવું હોય, તો મોક્ષના અભિલાષી આત્માઓએ શ્રી જિનપ્રતિમા, શ્રી જિનમત અને શ્રીસંઘને વિષે આવી પ્રીતિવાળા બનવું જોઇએ. શ્રી જિનપ્રતિમા આદિને વિષે આવો પ્રીતિભાવ, મિથ્યાત્વમોહના તેવા ક્ષયોપશમાદિ વિના શક્ય નથી, પણ સર્વાદરથી અને વિધિ મુજબ જો શ્રી જિનપૂજા આદિને કરવાનો પ્રયત્ન થાય, તો તેથી તેવા પ્રીતિભાવને પમાડનાર મિથ્યાત્વમોહનો ક્ષયોપશમ દૂર રહી શકતો
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy