________________
ચૌદ ગુણસ્થાનક માણ-૩
પોતાના કુટુંબનાં માણસોથી બની શકે એવાં કામો તેમની પાસે કરાવી લે. ભાગ્યવાનો ! વિચારો કે-ઋદ્ધિમાન શ્રાવકો અને અૠદ્ધિમાન શ્રાવકો જો આ રીતિએ શ્રી જિનમન્દિરની ઉચિત ચિંતા કરે, તો શ્રી જિનમન્દિરો કેવી જાહોજલાલીને પામે અને એથી શ્રી જૈન શાસનની પણ કેવી સુન્દર પ્રભાવના, થાય કે સૌ કોઇ પોતપોતાનાથી શક્ય કાર્યો કરવા માંડે, તો એથી શ્રી જિનમન્દિર તો આબાદ બને, સમાજ પણ સુન્દર સંસ્કારોની મહાન આબાદીનો સ્વામી બને.
રતાં પણ શ્રી જિનપ્રતિમા
દ્રવ્ય અને કુટુમ્બ શ્રી જિનમત અને શ્રીસંઘ ઉપર અધિક પ્રીત
૧
શાસ્ત્ર કહે કે-શ્રાવક જેમ શ્રી જિનમન્દિરની ઉચિત ચિન્તાને કરનારો હોવો જોઇએ, ધર્મશાળા, ગુરૂ અને જ્ઞાન આદિની પણ ઉચિત ચિન્તાને કરનારો હોવો જોઇએ. ધર્મશાળા, ગુરૂ અને જ્ઞાન આદિની પણ શ્રાવકે પોતાની સર્વ શક્તિથી ઉચિત ચિન્તા કરવી જોઇએ, કારણ કે-શ્રાવકો જ દેવ-ગુરૂની ચિન્તા કરનારા છે. તેઓ જો દેવ-ગુરૂની ઉપેક્ષા કરે, તેમના કામમાં ઢીલ કરે, તો તેથી તેમના સમ્યક્ત્વનો પણ વખતે વિનાશ થઇ જાય. જેમ ગાયના માલિક ઘણા હોય તો ગાયને દોહવાને સૌ તૈયાર રહે. પણ ગાયને ઘાસ-પાણી નીરવાનો કોઇ વિચાર ન કરે, તો તેઓ અન્તે ગાયને જ ગુમાવી બેસે; તેમ દેવ-ગુરૂની ઉપેક્ષા કરવાથી અને દેવ-ગુરૂનાં કાર્યો ઢીલમાં નાખવાથી, સમ્યદ્રષ્ટિ આત્માઓ કદાચ સમ્યક્ત્વને ગુમાવનારા પણ બની જાય. જેને દેવ-ગુરૂની આશાતના વિગેરે થતાં ઘણું દુ:ખ થાય નહિ. તેનામાં દેવ-ગુરૂની ભક્તિ છે એમ કેમ મનાય ? લોકમાં કહેવાય છે કે-મહાદેવની આંખને ઉખડી ગયેલી જોવાથી મહાદેવનો ભક્ત ભિલ્લુ ઘણો જ દુઃખી થયો અને તેને