________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
ધ્યાનમાં રાખવું કે- “ધર્મો રક્ષતિ રક્ષિત:” ધર્મપાલન કરવું ન હોય, પ્રતિજ્ઞાનિર્વાહ કરવો ન હોય અને પ્રતિજ્ઞાપાલનાર્થે પ્રાણહુતિ સમર્પવી ન હોય, છતાંય ધર્મથી ફ્લવાંછા સેવવી હોય, તો સમજવું ઘટે કે-એ વાંછા ઝાંઝવાના નીરથી તૃષાશાન્તિ કરવા તુલ્ય છે.
"6
ભો સુશ્રાદ્ધ ! આપ કેમ ભોજન ગૃહતા નથી ?” દીલગીર હૈયે ભિલ્લોએ પ્રશ્ન કર્યો.
૮૧
ભિલ્લો ! તમો જાણતા નથી કે-મારો અ નિર્ણય છે કે-દેવપૂજન વિના હું કદાપિ પ્રાણાન્તે પણ ભોજન અંગીકાર કરતો નથી.” સુશ્રાવકે વસ્તુસ્થિતિનું પ્રદર્શન કરાવ્યું.
શ્રાવકજી ! જો તમો અમોને થોડો ગોળ આપો, તો અમો ત્વરિત તે દેખાડીએ.” અર્થિ ભિલ્લોએ પોતાનું અન્તઃકરણ પ્રદર્શિત
કર્યું.
tr
શ્રાવકજીને હવે ગોળપ્રદાન કરવામાં થોભવાની કશી જ જરુર હતી નહિ. તેમણે કબુલી લીધું અને તેઓ પણ સન્તુષ્ટ થઇ
ગયા.
બિંબના તો ખંડો થઇ ગયા હતા-ક્યાં હતા, તે ખંડોનું તેમના નિહાળતાં તે ભિલ્લોએ સંયોજન કર્યું અને શ્રાવકજીને દેખાડ્યું.
શ્રાવકજી એક પુણ્યાત્મા હતા. તેમના અન્તરમાં પ્રભુજીની આ હાલત દેખી અત્યર્થ વિષાદ થયો. તેમને ગમગીની થઇ-વસવસો થયો.
પરન્તુ કેવલ વિષાદકરણ માત્રથી તેઓ અટકી ન ગયા. સાત્ત્વિકશિરોમણિ તેમણે અભિગ્રહ ગ્રહ્યો કે- “યાવત્ આ બિમ્બ અખંડ ન થાય, તાવત્ હું અશન અંગીકાર નહિ જ કરું.” એમની આ પ્રતિજ્ઞા પરી હતી. એનું પાલન પણ અશક્ય