SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ ધ્યાનમાં રાખવું કે- “ધર્મો રક્ષતિ રક્ષિત:” ધર્મપાલન કરવું ન હોય, પ્રતિજ્ઞાનિર્વાહ કરવો ન હોય અને પ્રતિજ્ઞાપાલનાર્થે પ્રાણહુતિ સમર્પવી ન હોય, છતાંય ધર્મથી ફ્લવાંછા સેવવી હોય, તો સમજવું ઘટે કે-એ વાંછા ઝાંઝવાના નીરથી તૃષાશાન્તિ કરવા તુલ્ય છે. "6 ભો સુશ્રાદ્ધ ! આપ કેમ ભોજન ગૃહતા નથી ?” દીલગીર હૈયે ભિલ્લોએ પ્રશ્ન કર્યો. ૮૧ ભિલ્લો ! તમો જાણતા નથી કે-મારો અ નિર્ણય છે કે-દેવપૂજન વિના હું કદાપિ પ્રાણાન્તે પણ ભોજન અંગીકાર કરતો નથી.” સુશ્રાવકે વસ્તુસ્થિતિનું પ્રદર્શન કરાવ્યું. શ્રાવકજી ! જો તમો અમોને થોડો ગોળ આપો, તો અમો ત્વરિત તે દેખાડીએ.” અર્થિ ભિલ્લોએ પોતાનું અન્તઃકરણ પ્રદર્શિત કર્યું. tr શ્રાવકજીને હવે ગોળપ્રદાન કરવામાં થોભવાની કશી જ જરુર હતી નહિ. તેમણે કબુલી લીધું અને તેઓ પણ સન્તુષ્ટ થઇ ગયા. બિંબના તો ખંડો થઇ ગયા હતા-ક્યાં હતા, તે ખંડોનું તેમના નિહાળતાં તે ભિલ્લોએ સંયોજન કર્યું અને શ્રાવકજીને દેખાડ્યું. શ્રાવકજી એક પુણ્યાત્મા હતા. તેમના અન્તરમાં પ્રભુજીની આ હાલત દેખી અત્યર્થ વિષાદ થયો. તેમને ગમગીની થઇ-વસવસો થયો. પરન્તુ કેવલ વિષાદકરણ માત્રથી તેઓ અટકી ન ગયા. સાત્ત્વિકશિરોમણિ તેમણે અભિગ્રહ ગ્રહ્યો કે- “યાવત્ આ બિમ્બ અખંડ ન થાય, તાવત્ હું અશન અંગીકાર નહિ જ કરું.” એમની આ પ્રતિજ્ઞા પરી હતી. એનું પાલન પણ અશક્ય
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy