________________
૮૨
ચૌદ ગુણસ્થાનક ભાd-3
-
--
—
—
—
—
—
—
—
હતું. પરંતુ તે ધીર શ્રાવકજીની અડગતા જ્યાં નિહાળી, ત્યાં જ અધિષ્ઠાયક દેવને રજનીમાં પ્રત્યક્ષ થવું પડ્યું અને તેમને સ્વપ્રમાં જણાવવું પડ્યું કે- “મહાનુભાગ ! આપની દ્રઢતાથી મારે અહીં આવવું પડ્યું છે. આપ હેજે વિષાદ ન કરો. ચન્દનના વિલેપથી આપ સાતેય ખંડોને યથાવયવ મેળવો, જેથી તેની અવશ્ય અખંડતા થઇ જશે.” આ પ્રમાણે સંબોધી દેવ અદ્રશ્ય થઈ ગયા.
શ્રાવકજીએ પ્રભાતે તે પ્રકારે કરતાં પ્રભુ શ્રી અભિનન્દન સ્વામિનું બિમ્બ અખંડિત થઇ ગયું. શ્રાવકજી પોતાની કબુલાત વિસરી ગયા ન હતા અથવા બોલ્યા બાદ કાર્ય સિદ્ધ થવાના કારણે ફ્રી બેસે તેવા ન હતા.
તેમણે કિરાતોને ગુડ આદિ દ્રવ્યનું સભાવ દાન કર્યું અને સુસ્થાનમાં પ્રભુજીનું અર્ચન કરવાનું આરંભી દીધું.
આ પ્રકારે કરવાથી ક્રમશઃ એ એક મહાતીર્થ રૂપે પ્રગટ થયું, જેનો મહામહિમા અપૂર્વ બન્યો. ચોતરક્શી અનેક સંઘો ત્યાં પ્રભુના દર્શને આવવા લાગ્યા.
શ્રાવકજીને આ પુણ્યપ્રભાવે એક પુત્રરત્નની પ્રાપ્તિ થઇ, જેમનું નામ સાધુ-હાલ હતું. તેઓ પોરવાડોમાં અગ્રેસર હતા. તેમણે ત્યાં અજોડ મંદિર બંધાવ્યું.
માલવદેશના સ્વામી રાજાએ આ તીર્થનું માહાભ્ય સુચ્છું, જેથી એમના માનસમાંય ભક્તિભાવ જાગૃત થયો. આથી તેમણે પણ શ્રી અરિહંતદેવની પૂજા, ધ્વજ તથા સ્નાત્રાદિ મહોત્સવો આરંભી દીધા.
આ પ્રકારે તે સુશ્રાદ્ધ શ્રાવકજીએ દેવની પૂજા કરી, નિયમનું દ્રઢ રીતિએ પાલન કર્યું અને જગતમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી : તેમજ અણમોલા માનવજીવનને એક આદર્શભૂત દિવ્ય જીવન બનાવી અત્તે સુગતિ પ્રાપ્ત કરી.