________________
ચૌદ ગુણસ્થાનક ભા|-3
અને અર્ચનાન્તર પવિત્ર સ્તોત્રો દ્વારા પ્રભુની અનેકશઃ સ્તુતિ કરી. બાદ સરલઆશયથી તેમણે ભોજન સ્વીકાર્યું. સુશ્રાદ્ધનો આ પ્રકારનો નિત્ય કાર્યક્રમ ચાલુ રહ્યો.
દુનિયામાં એક કહેવાત છે કે-અન્તે જાત એવી ભાત. જેની જેવી પ્રકૃતિ કે ટેવ પડી ગઇ હોય, તેમાં સંયોગવશાત્ અમુક પ્રકારે સુધારણા કદાચિત્ થઇ હોય તોય પ્રાયઃ તે તે વાતાવરણને પામી મૂળ પ્રકૃતિ પાછી પ્રકાશિત થઇ જાય. અન્તે એ પોતાનું પોત પ્રકાશ્યા વિના ન જ રહે. ભલે પછી એનાથી એને પોતાને કે અન્યને ખૂબ જ સહન કરવું પડે. પ્રસ્તુતમાંય એમ જ બનવા પામ્યું. એકદા એ ભિલ્લોએ તે શ્રાવક પાસે કોઇ વસ્તુની યાચના કરી, પરન્તુ હાય' તેમ બન્યું હોય, પણ તેણે તેઓને કશું જ આપ્યું નહિ. આ લોકો જાતના ભિલ્લ હતા, જેથી તેમનામાં કોપાનલ ધમધમી જાય એમાં શી શંકા હોઇ શકે ? એઓ પાસે અન્ય કોઇ હેરાન કરવાનો ઉપાય ન હતો, સિવાય બિબનું ખંડન. બિંબના શકલીકરણનો જ એક ઉપાય તેઓને આધીન હતો, જેથી એ શ્રાવક પરત્વેનો ક્રોધ અને દ્વેષ ફ્લીભૂત થાય.
તેઓ બીચારા અજ્ઞાન, મૂર્ખ તેમજ ગતાગમ વિનાના હતા. પુણ્ય-પાપના જ્ઞાતા ન હતા. આથી પુનઃ એ મૂઢોએ વાણીયાનું વૈર લેવા માટે બિંબના ખંડેખંડોને જુદા કરી નાખ્યા અને કોઇક ગુપ્ત સ્થલે એને મૂકી દીધું.
૭૯
પૂજાનો સમય થતાં શ્રાવકજી અર્વાર્થે મૂળ સ્થાને આવ્યા, પણ દેવનું દર્શન થઇ શક્યું નહિ. આથી તેમને દેવાધિદેવના અદર્શનથી ખૂબ જ વિષાદ અને ખેદ થયો.
શ્રાવકજીની આ ખરેખરી કસોટી હતી-અગ્નિપરીક્ષા હતી. પરન્તુ તેઓ એમાં સર્વથા ઉત્તીર્ણ થઇ શકે અને કાર્ય સિદ્ધ કરી