________________
–
–
૭૮
ચૌદ વણસ્થાનક ભાdI-3 – જેન તરીકેના લેબાશમાં છૂપાઇ ગયેલા ધર્મહીનો હોય, તેઓને ભલે આ નિયમ ન હોય.
“ભદ્ર ! આપ સર્વદા ગમનાગમન કરો છો તે દુષ્કર છે.” પલ્લીનિવાસી ભિલ્લોએ સ્વકીય કોમલ હાર્દ તે વણિશ્વર સમક્ષ વ્યક્ત કર્યું અને સપ્રેમ વિજ્ઞપ્તિ કરી કે- “ આપ અહીં જ વસવાટ કરો અને અહીં જ અમારી નમ્ર વિનંતિને ન્યાય આપી ભોજન કરો. આપ કેમ અહીં નિવાસ કરતા નથી ? તેમજ અહીં કેમ ભોજનને ઇન્સાફ આપતા નથી ? અમો બધાય આપના આજ્ઞાંકિત સેવકો જ છીએ.”
“હાનુભાવો ! યાવદ્ દેવાધિદેવની પૂજા ન થાય, તાવત્ ભોજ્ય-ભોજી નથી. મારે નિયમ છે કે-શ્રી વીતરાગ પ્રભુની પૂજા બાદ ભોજ્ય ગ્રહણ કરવું, જેથી હું અહર્નિશ ગૃહે પુનર્ગમન કરું છું, બાદ પૂજા કરું છું અને પછી ભોજનાસ્વાદ લઉં છું.” ભિલ્લોની કોમલ અને મધુર વાણી સુસ્યા બાદ વણિશ્વરે ઉત્તર પાઠવ્યો.
સુશ્રાવકની મિષ્ટ વાણી સુણવાથી ભિલ્લો અતીત આનંદિત અને પ્રફુલ્લિત વદની બની ગયા તથા હર્ષાવેગમાં તેઓએ વચના ઉચ્ચારી દીધું કે- “ભો શ્રેષ્ઠ ! એક દેવ અહીં પણ છે.” આ પ્રમાણે કહી ખંડોનું સંયોજન કર્યું અને તે સુશ્રાદ્ધને દર્શન કરાવ્યા.
શ્રાવક સુશ્રાધ અને સરલ બુદ્ધિમત્ત હતો, જેથી તેણે બીજો કોઇ વિચાર નહિ કરતાં માની જ લીધું કે-બિમ્બ અખંડ છે.
જ્યારે બુદ્ધિમાં સરલતા આવે છે અથવા માનસ નિર્મલગુણિ હોય છે, ત્યારે સર્વત્ર પાવિચ જ અને શુભ જ ભાસે છે.
ત્રદજુબુદ્ધિમાનું સુશ્રાદ્ધ તો ભક્તિભર હૈયે ભગવત્તને વન્દના કર્યું અને રોમાંચિત હૈયે પ્રણામ કર્યો. સાથે નિર્ણય કર્યો કે-આ. બિમ્બ શુદ્ધ અમ્માણિપાષાણનિર્મિત છે. સુશ્રાદ્ધના હર્ષનો પાર રહ્યો નથી. પુલક્તિ સ્થિતિમાં તેમણે પ્રભુની પુષ્પાદિ દ્વારા પૂજા કરી