SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ – – – ચૌદ |સ્થાન ભાગ-3 –– અનિષ્ટ પદાર્થોનો ત્યાગ થવાથી ને ઇષ્ટ પદાર્થોના યોગથી સાધ્ય છે અને તે ઇષ્ટ પદાર્થ એકાન્ત અનંત સુખને કહેવાય છે, અને તે એકાન્ત અનંત સુખ મોક્ષમાં છે. સંસારમાં નથી, કારણ કે-સંસારમાં પ્રકર્ષેણ સ્વયં નાશ પામવાવાળું દુ:ખ સહિત સુખ છે માટે મોક્ષના અર્થીઓને મોક્ષ દેવા વડે પરોપકાર સાધ્ય છે. વળી મોક્ષ કાંઇ હાથમાં લઇ આપી શકાતો નથી માટે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય દેખાડવો, કારણ કે-સમ્યક સેવેલ ઉપાયથી ઉપેયની સિદ્ધિ સુખે થાય છે તરચાત્યુપાય: પ્રભુ ઘર્મ ઇવ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય નિશ્ચયથી ધર્મ જ છે. આથી સ્પષ્ટજ છે કે મોક્ષ આપવા સમાન દુનિયામાં કોઇ બીજો પરોપકાર છે જ નહિ. માટે મોક્ષ ને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય ધર્મ, તેજ ઉપદેશ પંચમહાવ્રત ધારી ગુરૂવર્યો આપી શકે. અન્યથા સંસારવ્યવહારના ઉપદેશ દેવાથી મહાવ્રતો ભ્રષ્ટ થાય છે. અરે અભવ્ય પણ મોક્ષની શ્રદ્ધા નહિ હોવા છતાં પણ જ્યારે મોક્ષાર્થીઓને મોક્ષનો ઉપદેશ આપે તો પછી ભવ્ય મુનિઓને માટે પૂછવું જ શું ? કેમકે સાચા જેનો મોક્ષ સિવાય સાંસારિક એક પણ પદાર્થને સાધ્ય તરીકે ગણતા નથી. જ્યારે કોઇ આત્મા ત્યાગ ધર્મ સ્વીકારે છે, ત્યારે સાવધને મન, વચન, કાયાએ કરવું નહિ, કરાવવું નહિ, કરતાને સારો જાણવો નહિ-આ પ્રમાણે સતi સાdvi ગોગ પcવસ્વસ્વામિ ના પાઠથી સ્વીકારે છે, તેવા મુનિઓથી સંસાર વ્યવહારનો ઉપદેશ અપાયજ કેમ ? છતાં જો આપે તો તે પચ્ચખાણનો ભંગ કરનાર પ્રત્યક્ષ મૃષાવાદી કેમ ન કહેવાય ? જ્ઞાનીઓ સિત્થરોસમોસૂરી એ સૂત્રથી જણાવે છે કેજે આચાર્ય સમ્યફ જિનમતને પ્રકાશે તે તિર્થંકર સમાન છે. એટલે હેયને હેય તરીકે, ઉપાદેયને ઉપાદેય તરીકે ઓળખાવે. અન્યથા. વિપરીત બતાવે તો તે આચાર્ય નથી પરંતુ કુત્સિત પુરૂષ છે. અર્થાત્ તે આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ તરીકે તો શું પણ સામાન્ય સત્પષની
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy