SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ _ _ _ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ આત્મા સંસારપોષક ઉપદેશ આપે તોય મોક્ષાર્થી શ્રાવક સાંભળેજ નહિ. જો સંસારના કારણ એવા અર્થકામની પુષ્ટિનો ઉપદેશ મુનિ આપે તો ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે-અર્થની દેશના જે આપે તે શાસ્ત્રને લોપનાર છે અને મોક્ષમાર્ગનો ચોર છે. તેથી જ મોક્ષમાર્ગ તેનાથી ચલાવી શકાતો નથી. તેમજ સંસારપોષક પાપોપદેશ કોઇ કાલમાં જ્ઞાનીઓ આપતા નથી, આપ્યો નથી અને આપશે પણ નહિ. જ્ઞાનીની આજ્ઞાનુસાર અનુસરવાવાળા એવા જે મુનિ હોય તેમનાથી પણ પાપોપદેશ આપી શકાય નહિ, કારણકેજે કોઇ કાળમાં, જે ક્ષેત્રમાં ઝેર ખાઇએ તો મરી જવાય, તેમ સંસાર વૃદ્ધિરૂપ પાપોપદેશ, દેનાર ને સાંભળનાર બેઉને દુર્ગતિમાં લઇ જનાર છે. કોઇ જણાવે કે-જગતના ઉદ્ધાર વાસ્ત બદષભદેવપ્રભુએ પુરૂષની તેમજ સ્ત્રીની ૩૨ તથા ૬૪ કળાઓ તથા સો શિલ્પશાસ્ત્રો વિગેરે બનાવ્યું; તો પછી ત્યાગી મુનિઓ જગતના ઉપકાર માટે સંસારવ્યવહાર સંબંધીનું શિક્ષણ આપે તો શું વાંધો ? અને સમજવાની જરૂર છે કે-પ્રભુએ રાજ્યાવસ્થામાં બતાવ્યું કે ત્યાગાવસ્થામાં ? કહેવું જ પડશે કે-રાજ્યાવસ્થામાં. હવે વિચારો કે-જે રાજ્યાવસ્થામાં બતાવેલ હોય તે ત્યાગાવસ્થામાં સ્વીકારી શકાય ? નહિ જ. કારણકે-રાજ્યાવસ્થા પાપયુક્ત છે, જ્યારે ત્યાગાવસ્થા પાપરહિત છે. એથી જ રાજ્યાવસ્થામાં બતાવેલ કળાઓ વિગેરે પાપયુક્ત છે. કાલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રીમહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે- સર્વમuોવાત્ સાવદ્ય માટે મોક્ષાર્થીને ઉપાદેય હોઇ શકે નહિ. વળી શ્રીમાન્ મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કેપ્રાણીઓએ સ્વશક્તિથી નિરંતર પરોપકાર કરવો જોઇએ, કારણ કે-આ ઉત્તમ નીતિ છે. તે પરોપકાર સ્વોપકારથી જુદો નથી માટે પરોપકાર કરવાથી સ્વોપકાર થઇ જાય છે. તે પરોપકાર તમામ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy