________________
૬૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ કોટીમાં રહી શકતો નથી. વળી અર્થ દિપિકામાં ટીકાકાર ઘમ્પાઉરિઘ એ પદથી જણાવે છે કે-ચુતને ચારિત્ર ધર્મના પાલનમાં પ્રવીણ તથા સમ્યગૂ ધર્મને દેનારા હોય. નાસ્તિક પ્રદેશી રાજાને કેશી ગણધરે સમ્યગુ ધર્મ આપ્યો હતો તેમ સમ્યગ ધર્મને દેનારા ધર્માચાર્યને નમસ્કાર જણાવ્યો. આથી સ્પષ્ટ છે કે-ભૂતને ચારિત્ર ધર્મનો ઉપદેશ દેનાર ન હોય. જે કોઇ સંસારવ્યવહારના માર્ગને બતાવનાર કે પોષનાર હોય તો તે ધર્માચાર્ય નથી બ્સિ પાપાચાર્ય જ કહેવાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં સયંકોÉ પરિવM એ ગાથાથી જણાવ્યું છે કે-જે સાધુ પોતાના ઘરનો ત્યાગ કરી પારકાના ઘરમાં પિઠાદિના લોભથી તેના ઘરનાં કાર્યો કરે ને શુભાશુભ નિમિત્તાદિ ભાખવા વડે વ્યવહાર ચલાવે તેને પાપ સાધુ કહેવાય. વળી શ્રીપાલ ચરિત્રમાં પણ શ્રી મુનિચંદ નામના ગુરૂ મહારાજ પાસે મયણાસુંદરી ધર્મના લોકાપવાદને દૂર કરવા ઉપાય પૂછે છે ત્યારે ગુરૂ મહારાજ જણાવે છે કે
पमणेइ गुरु भद्दे साहुणं न कप्पए हु सावज्जं । कहिउँ किपि तिगिच्छं विज्जं मंतं चतंतंच ।।
હે ભદ્ર સાધુઓને કાંઇ પણ સાવધ દવા, વિદ્યા, મંત્ર-તંત્ર કહેવા ભેજ નહિ. આથી પણ સ્પષ્ટ છે કે-જે સાધુઓ લોકોમાં મનાવા-પૂજાવા ખાતર મંત્ર-તંત્ર, દોરા, ધાગા અને ભાવતાલાદિ નિમિત્તાદિ ભાખે છે તે ખરેખર શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા બહાર કહેવાય, અને તેથી સાધુપણાથી ચૂક્યોજ સમજવો. આ ઉપરથી - એટલે સિદ્ધ થયું છે કે- સાધુ અને શ્રાવકના ધર્માનુષ્ઠાનો છે કે જે સાક્ષાત્ પરલોકહિતકારી એવું જિનવચન સાંભળવું ને સંભળાવવું. શ્રોતાઓ જિનવચન કેવી રીતે સાંભળે ? તો જણાવે છે કે-સમ્યફ એટલે શઠતાએ રહિત, કેમકે પ્રત્યની કાદિ ભાવ વડે જિનવચના