________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
કરે. કષાયોની હત્યા કરે. જે તપમાં કષાયોની હિંસા-હત્યા હોય તે તપ શુધ્ધ છે. તપમાં શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું પાલન એવું કરે કે તે જીવ સંસારમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી જિનની આજ્ઞા તેની સાથે રહે અને આવા જીવોને સાનુબંધા જિનાજ્ઞા પ્રાપ્ત થાય. (હોય) તે તપ જિન શાસનમાં શુધ્ધ ગણાય છે. ગતના દુઃખનું મૂળ
૫૨
યસ્ય ચારાધનો પાય સદાજ્ઞાભ્યાસ એવ હિ । યથા શક્તિ વિધાનેન નિયમાત્સ ફ્લ પ્રદઃ || ૧ || જૈન શાસનના પરમ ભક્ત-પરમ પ્રભાવક શ્રીમાન્ હરિભદ્રસૂરિ મહારાજા ભવ્ય જીવોને ઉદેશીને રમાવે છે કેવીતરાગની આરાધનાનો ઉપાય વીતરાગની આજ્ઞાનો હંમેશા અભ્યાસ કરવો એ છે. રાગ-દ્વેષ એ દુઃખનું કારણ છે. અને એના જ પ્રતાપે અનાદિકાળથી અનંતી લક્ષ્મી ગુમાવી કંગાળ જેવો બની ગયો છે.
વીતરાગની આરાધના સિવાય રાગદ્વેષનો ક્ષય થવો એ કોઇ રીતિએ શક્ય નથી. રાગ દ્વેષ ભયંકર છે એમ ભાસે તો જ આપણો આત્મા વીતરાગતા તરફ વળે. રાગ દ્વેષનો નાશ કરવા વીતરાગતા વિના એક પણ આધાર નથી.
વીતરાગને શી રીતે આરાધવા ? એ માટે શ્રી જિનેશ્વર દેવના શાસનના પરમ અભ્યાસી મહર્ષિઓ એક જ વાત માવે છે કે
એની આજ્ઞા પાલનનો અભ્યાસ કરવો એ જ એની આરાધનાનો ઉપાય છે. જે જે આજ્ઞાઓ કરી હોય તે સમજવાનો આદરવાનો યાવજ્જીવ અખંડિત પણે પાલન કરવાનો અભ્યાસ