SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ચોદ ગુણસ્થાન ભાગ-3 ––––––––ખ- -------~-- એવં વ્રતસ્થિતો ભકત્યા સપ્તક્ષેડ્યાં ધન વપન્ ! - દયયા ચાતિદીનેષુ મહાશ્રાવક ઉચ્યતે || ભાવાર્થ :- આવી રીતિએ સમ્યકત્વ મૂલ બાર વ્રતોમાં રહેલો જે આત્મા શ્રી જિનમૂર્તિ-શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ તથા સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રોમાં ભક્તિપૂર્વક અને અતિ દીનોમાં દયાપૂર્વક દ્રવ્યનો સવ્યય કરે છે તે મહાશ્રાવક કહેવાય છે. યઃ સર્બાહ્ય મનિત્યં ચ ક્ષેત્રેશુ ન ધન વયેત્ | કર્થ વરા,શ્વારિત્રમ્ દુશ્વર સ સમાચરેત્ | ૨ || ભાવાર્થ - પોતાની પાસે વિધમાન બાહ્ય અને અનિત્ય એવા ધનને જે ઉત્તમ ક્ષેત્રોમાં વાપરી શકતો નથી તે બિચારો દુઃખે પાળી શકાય એવા ચારિત્રને કેવી રીતે આચરી શકશે ? નાપૃષ્ટઃ કસ્યચિદ્ બુયાન્ન ચાવાયેન પૃરછતઃ | જાનન્નપિ હિ મેઘાવી જડેવલોક આચરેત્ II ભાવાર્થ :- પૂછયા વિના કોઇની સાથે બોલવું નહિ. ખરાબ ઇરાદાએ પૂછનારને પણ ઉત્તર આપવો નહિ. જાણવા છતાં બુદ્ધિમાન્ પુરૂષ અનર્થકર બાબતોમાં કેવલ લોકને વિષે જડની જેમ આચરવું જોઇએ. યત્ર બ્રહ્મ જિનાર્ચા ચ કષાયાણાં તથા હતિઃ | સાનુબન્ધા જિનાજ્ઞા ચ તત્તપઃ શુધ્ધમિધ્યતે || (જ્ઞાનસાર) | ભાવાર્થ :- તપ કરનારમાં બ્રહ્મચર્યનું પાલન નિયમાં હોવું જોઇએ. બ્રહ્મ એટલે આત્મા તેનું સ્વરૂપ તેમાં રમવું તે બ્રહ્મચર્ય. તપ કરનાર કર્મે સર્જેલા આત્માના વિભાવ રૂપ સ્વરૂપમાં રાચે નહિ. તપ કરનારો પોતાની શક્તિ મુજબ જિનેશ્વર દેવની પૂજા
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy