________________
૫o
-
---
ચૌદ ગુણસ્થાનક ભાગ-3 –––––– વર્ય કહેલા છે તેનો ત્યાગ કરવો. (૮) અનર્થ દંડ વિરમણવિના કારણે કરાતી અનર્થ ઉપજાવનારી પ્રવૃત્તિઓથી અટકી જવું. (૯) સામાયિક-સમભાવનો અભ્યાસ પાડનારી ક્રિયા નિયમિત રીતે કરવાનું વ્રત- સામાયિક કરવું. (૧૦) દેશાવકાશિક- રોજની બધી વ્યવહારિક પ્રવૃત્તિઓનું માપ રાખવું. (૧૧) પૌષધદ્રત કરવું. (૧૨) અતિથિ દાનનો નિયમ રાખવો. (૧૩) વંદન (૧૪) પ્રતિક્રમણઆચરેલા દોષોની આલોચના કરવી અને ફ્રીવાર એ દોષો ન થાય એ રીતે પ્રવૃત્તિ માટે સાવધાનતા રાખવી. (૧૫) કાયોત્સર્ગઆત્મચિંતન – ધ્યાન કરવું. (૧૬) સંવરની પ્રવૃત્તિ કરવી- સંવર, એટલે મનમાં દોષો ન પેસે એ રીતે સાવધાનતા રાખીને યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવી અને (૧૭) પ્રવજ્યા- આ ૧૭ ગુણો કહેવાય છે.
પાંચમા આરામાં જન્મેલા જીવોનો ક્ષ કેમ નહિ ? મન્ને કલિકાલ જીઆ સેવય જણ વરછલા અચલચિત્તા | નિલોહાય અકિવિણા સાહસિયા નેરિસા પુલ્વિ / ૩ /
ભાવાર્થ - હું માનું છું કે કલિકાલના જીવો (૧) રાગાદિ સેવકજન પ્રત્યે વત્સલ છે. (૨) મિથ્યાત્વાદિમાં અચલ ચિત્ત છે, (૩) સ્વર્ગાદિકમાં સંતોષને ધરનારા છે. (૪) ગવદિકમાં પોતાના સુકૃત્યોનો ઉદારતાપૂર્વક ત્યાગ કરનારા છે. (૫) ઇષ્ટ વિયોગાદિક આપત્તિઓમાં પણ પાપથી ન ડરે તેવા સાહસિક છે.
સર્વાત્મના યતીદ્રાણા મેસચ્ચારિત્રમીરિતમ્ | યતિધર્માનુરક્તાનાં દેશતઃ સ્યાદગારિણામ્ II II
ભાવાર્થ - પૂર્વે કહેવાયું તે ચારિત્ર સર્વ પ્રકારે યતિન્દ્રોએ પાલવાનું છે અને યતિધર્મમાં અનુરક્ત એવા શ્રાવકોએ એનું દેશથી પાલન કરવાનું છે.
મા શ્રાવક કોને કહેવાય ? '