________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
કરવો એ જ એક વીતરાગની આરાધનાનો ઉપાય છે.
यह सत्तरे गुण संयुक्त श्री जिनागममें भाव श्रावक कहा है।
ભાવાર્થ - (ભાવના સંબંધી) શ્રાવક અવસર જાણી દીક્ષા ગ્રહણ કરે. તાત્પર્ય એ છે કે-શ્રાવક એ છે, કે જે બાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તો પોતાના મનમાં પોતાને ઠગાયેલો માને. જેમ જગતમાં પોતાની અતિ વલ્લભ વસ્તુનું લોક સ્મરણ કરે છે, તેમાં શ્રાવક પણ રોજ*સર્વવિરતિ લેવાની ચિંતા કરે, અગર જો ગૃહવાસ પણ પાલે, તો પણ દાસીન્યપણે, અલિપ્તપણે, પોતાને હેમાના સમજીને પાલે.
જનશાસનની ઝીક્ષા
આ, મારા ને તમારાં પૂજ્યનું કહેલું છે. જે આને છૂપાવે છે, જે આ વાતોથી ગભરાયેલા છે, તે સંસારના વિષયના કીડા છે. શ્રી જૈનશાસનથી વંચિત છે. ન બને, ન સ્વીકારાય, ન પળાય, તો બળજોરીથી આપવા અહીં નવરું કોણ બેઠું છે ? ભાગ્યશાળીઓ! સારી ચીજ હાથમાં ન લઇ શકો, પણ સાંભળવાનુંયે મન ન થાય ? ભાવનાયે ન થાય ? હૃદયમાં આ હશે તો સંસાર પણ સુખરૂપ બનશે. સંયમની ભાવના વિનાના સંસારમાં એ ક્ષગણ સુદી પૂનમની હોળીઓ સળગે છે. અંદરની પીડા અંદર હોય. માથે પાઘડી મૂકી, મોઢાં લાલ રાખી, અરે ! પાનના ડૂચાથી પરાણે લાલ રાખી ફ્રેવું પડે છે. તમારી ઘરમાં, બજારમાં અને બહાર શી કિંમત છે ? તે વિચારો. બાલ્યાવસ્થાની દીક્ષા એટલે પડવાના ઓછામાં ઓછા સંભવવાળી દીક્ષા. આજે પૂજ્ય મહારાજશ્રીના સ્વર્ગવાસના દિવસે બીજું શું બોલું ? જે મહારાજશ્રીનું મન્તવ્ય એજ બોલું. મારે તો રોજ એજ બોલવાનું. હું તો એ નિયાણું કરું કે-મોક્ષ ન મળે ત્યાં