SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ – ––– – ––– – – – – – – – – – ચૌદ વણસ્થાનક ભાગ-૩ –––– પરતપ્તિષ બધિરા-જાત્યન્ધા પર લગેષ || ભાવાર્થ :- હે ધર્મ જિજ્ઞાસુઓ ! તમારે જે સદ્ગતિ મેળવવાની ઇચ્છા હોય તો શ્રેષ્ઠ જનોને નિંદિત એવા નીચ કાર્યમાં આળસુ બની નિરૂધોગી થાઓ, તેમજ પ્રાણીઓનો વધ કરવામાં હંમેશા પાંગળા બનો, પરપીડાઓમાં બધિરતા ધારણ કરો, અને પર સ્ત્રીઓને વિષે જન્માંધની માઠ્ય પ્રવૃત્તિ કરો અર્થાત તેમની ઉપેક્ષા કરો. બીજું અણુવ્રત.... અસત્યમપ્રત્યય મૂલ કારણે કુવાસના સમ સમૃદ્ધિ વારણમ્ | | વિપન્નિદાન પરવચનોજિત કૃતાડપરાધં કૃતિભિર્વિવર્જિતમ્ || ભાવાર્થ - અવિશ્વાસનું મૂલ કારણ, ખરાબ વાસના ઓનું નિવાસ સ્થાન, સમૃધ્ધિઓને નિવારવામાં અર્ગલા સમાન, વિપત્તિઓનાં મૂલ હેતુ, અન્ય જનોને છેતરવામાં અતિદક્ષ અને અપરાધોના ખજાના રૂપ એવું અસત્ય વચન જ્ઞાની પુરૂષોએ સર્વથા ત્યાગ કરેલું છે. ત્રીજું અણુવ્રત... યન્નિર્વર્તિત કીર્તિ ધર્મ નિધનં સર્વાગતાં સાધન પ્રોન્સીલ વધ બંધનં વિરચિત કિલષ્ટાશયો બોધનૂમ્ | દોર્ગત્યેક નિબંધનું કૃત સુગ-યાશ્લેષ સંરોધનમ્ | પ્રોત્સર્પત્ પ્રધનું જિવૃક્ષતિ ન – વીમાનદત્ત ધનમ્ || ભાવાર્થ - જે ચોરીનું ધન પ્રસિધ્ધ એવી કીર્તિ અને સંપત્તિનો નાશ કરે છે તેમજ સર્વ દુઃખોનું સાધન વધ તથા બંધનને પ્રગટ કરનાર, લિષ્ટ આશયોને ઉત્પન્ન કરનાર, દુર્ગતિનું મુખ્ય કારણ, સુગતિ-મોક્ષ સુખના સમાગમનો રોધ કરનાર અને સંગ્રામાદિકનો ભય ઉપજાવનાર છે તેવા અદત્તદ્રવ્યને ગ્રહણ કરવાની કયો બુદ્ધિમાન ઇચ્છા કરે ?
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy