________________
૩૧.
–
ચૌદ ગુણસ્થાનક ભાd-3
– – – – – ૫. અસ્મૃતિ
II સંભના વ્રતમ ||
સંલેખણા (અનય સમયના અનશન) વ્રતમાં પાંચ અતિચાર છે-આ લોકના સુખની ઇચ્છા, પરલોકના સુખની ઇચ્છા, સુખમાં જીવવાની ઇચ્છા, દુઃખમાં મરવાની ઇચ્છા તથા કામભોગની ઇચ્છા. એ પાંચ અતિચાર છે. ઘણા ફળવાળાં શીલવ્રત વિગેરે વ્રતોને હણીને (વ્રતોને પાળે પણ પીગલિક સુખની ઇચ્છા રાખે તેથી વ્રતોને હણીને) જે સુખની ઇચ્છા રાખે છે તે ધીરતામાં દુર્બલ (અધૈર્યવાન) તપસ્વી ક્રોડ સોનૈયાની વસ્તુને એક કાકિણિ જેટલા અલ્ય મૂલ્યમાં વેચે છે. (સંલેખનાદિ વ્રતવાળા જીવને ૯ નિદાન વર્ય છે તે કહે છે) રાજા-શ્રેષ્ઠિ-સ્ત્રી-પુરૂષ-પરમવિચાર-સ્વપ્રવિચાર અભપરત-સુર અને દારિદ્રય (એ ૯ની ઇચ્છા તે) નવનિયાણાંનિદાન કહેવાય. ઘણું તપ આચર્યું હોય, અને દીર્ઘ કાળ સુધી મુનિપણું પાળ્યું હોય તો પણ નિયાણું કરીને વ્યર્થ આત્માને (આત્મા ધર્મને) હારી જાય છે. નવ નિદાનનું સ્વરૂપ આ પ્રમાણે :
(૧) નૃપનદ્રાન - આ તપશ્ચર્યાના પ્રભાવે હું આવતા ભવમાં રાજા થાઉં એવી ઇચ્છા રાખવી તે નૃપનિયાણું કહેવાય.
(૨) શ્રેષ્ઠ નિદાન - આવતા ભવમાં હું શેઠ ચાઉં એવી ઇચ્છા.
(૩) સ્ત્રી નિદ્રાન - પુરૂષને કમાવા વિગેરેની બહુ ઉપાધી. છે. માટે સ્ત્રી થાઉ તો ઠીક.
(૪) પુરુષ નિદ્રાન - સ્ત્રીને પરતત્રતા ભોગવવી પડે છે