SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક સામ-૩ સાધુ અથવા શ્રાવક જે ભોજનના અવસરે આવેલ હોય તે તિથિ કહેવાય. તે અતિથિને નિરવધ આહાર વસ્ત્રપાત્ર વિગેરે વસ્તુઓનો જે વિભાગ (એટલે પોતાની શક્તિ પ્રમાણે તે આહારાદિ) આપવો તે તિથિવિમા નિત્ય કરવા યોગ્ય છે એમ જાણવું. (પરન્તુ પૌષધને પારણેજ કરવા યોગ્ય છે એમ ન જાણવું.) દેવા યોગ્ય વસ્તુ સચિત્તપદાર્થ ઉપર મૂકવી, અથવા દેવા યોગ્ય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકવી, દેવા યોગ્ય વસ્તુ પોતાની હોય તો પારકી કહેવી (અથવા દેવાની બુદ્ધિએ પરની હોય છતાં પોતાની કહેવી), બીજાની ઇર્ષ્યાએ દાન દેવું, અને દાનકાળને વ્યતીત કરી દેવો તે અનુક્રમે) (૧) સચિત્તનિક્ષેપ, (૨) સચિત્ત પિધાન, (૩) અન્યત્યપદેશ, (૪) માત્સર્ય, (૫) કાલાતિક્રમ એ નામના પાંચ અતિચાર અતિથિ સંવિભાગ વ્રતના જાણવા. ( આ પાંચે અતિચાર ન દેવાની બુદ્ધિથી છે.) સાધુ મહાત્માને જે ક્લ્પનીય છે તે વસ્તુ કોઇપણ રીતે કિંચિત્ માત્ર પણ ન દેવાઇ હોય તો ધીર અને યથાર્થવિધિવાળા સુશ્રાવકો તે વસ્તુ ખાતા નથી. સ્થાન-શય્યા-આસન-ભોજન-પાણી-ઔષધવસ્ત્ર-અને પાત્ર વિગેરે વસ્તુઓ જો કે પોતે પૂર્ણ ધનવાન ન હોય તો પણ થોડામાંથી થોડું પણ આપવું કૃતિ ઋતિથિ સંવિમાનવ્રતમ્ || 93૬-૧૪૦ || ૧. 30 ૧. ૨. 3. ૪. ગ્રન્થોમાં જે પાંચ અતિચાર કહ્યા છે તે આ પ્રમાણે છે. અપ્રતિલેખિત અને અપ્રમાર્જીત શય્યાદિ અપ્રતિલેખિત અને અપ્રમાર્જીત આદાન (ગ્રહણ કરવું મૂકવું.) અપ્રતિલેખિત અને અપ્રમાર્જીત થંડિલ (માં મલા દિકની ત્યાગ) અનાદર -
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy