SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-3 સંક્રમથી સમકિતની ઉદયાવલિકામાં સંક્રમાવે છે અને સમકિતને વિપાકોદયદ્વારા અનુભવતો ક્ષીણ કરે છે અને ઉપશમ સમ્યફદ્રષ્ટિ થાય છે. અંત:કરણ ઉપરની જે બે સ્થિતિ છે તેના ત્રણે પ્રકારના દલિકોને અનંતાનુબંધીની માફ્ટ ઉપશમાવે છે. બાકીની વિગતો ઉપશમસમકિતની પ્રાપ્તિમાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાંમિથ્યાત્વને મિશ્ર તથા સમકિતમાં તથા મિશ્રને સમક્તિમાં ગુણસંક્રમા થાય છે. ગુણ સંક્રમના અંતવિધાત સંક્રમવડે તેજ પ્રમાણે સંક્રમ થાય છે. આ પ્રમાણે દર્શન-ત્રિકની ઉપશમના કરી સંકલેશ અને વિશુદ્ધિ વશથી પ્રમત્તપણાને અને અપ્રમત્તપણાને અનુભવી છેલ્લા સમયનું જે અપ્રમત્તપણે (૩માં ગુણસ્થાનક સંબંધી) તે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ ઉપશમ કરવા માટેનું યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. પછી ૮મા ગુણસ્થાનકને પ્રાપ્ત થાય. આ ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા જીવને ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓ ઉપશમાવવા માટેનું બીજું અપૂર્વકરણ કહેવાય છે. ત્યારબાદ જીવ ૯મા ગુણસ્થાનકને પામે છે. આ ત્રીજું અનિવૃત્તિકરણ કહેવાય છે. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળમાં સ્થિતિઘાતાદિ પાંચેવાના કરે છે અને ભા ગુણસ્થાનકે અનંતાનુબંધી ૪ કષાયા સિવાયના ૧૨ કષાય અને ૯ નોકષાય મળીને ૨૧ પ્રકૃતિનું અંતઃકરણ કરે છે. આ વખતે સંજ્વલન ૪ કષાયમાંથી ૧ કષાયનો અને ૧ વેદનો ઉદય હોય છે. જેથી તે બે પ્રકૃત્તિઓની પ્રથમ સ્થિતિ ઉદયકાળ જેટલી કરે છે અને ૧૯ પ્રકૃતિઓની સ્થિતિ વ આવલિકા પ્રમાણે કરે છે. સ્ત્રીવેદ અને નપુંસકવેદનો (સ્થિતિ) ઉદયકાળ તુલ્ય છે
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy