SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ચૌદ ગુણસ્થાન ભાગ-૩ એટલે કે અલ્પ છે. તેનાથી સંખ્યાતગુણો અધિક પુરૂષવેદનો, તેનાથી વિશેષઅધિક-વિશેષઅધિક ક્રમે કરીને સંજ્વલનના ક્રોધ-માનમાયા લોભનો ઉદય હોય છે. સંજ્વલન ક્રોધે શ્રેણી માંડનાર જીવને સંજ્વલન ક્રોધનો ઉદય, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય ત્યાંસુધી જ ક્રોધનો ઉદય રહે છે તે જ પ્રમાણે સંજ્વલન માનમાયા-લોભમાં સમજી લેવું. આ રીતે ક્રિયા કરતો કરતો બાદર લોભને શાંત કરીને ૧૦માં ગુણસ્થાનકે આવે છે. ૨૧ પ્રકૃતિના અંતઃકરણની શરૂઆત સાથે કરે છે પણ પૂર્ણતા ક્રમસર કરે છે. અંતઃકરણની ક્રિયા કરતાં ૧ સ્થિતિઘાત જેટલો કાળ લાગે છે. અંતઃકરણના દલિકોને, જેનો બંધ ઉદય ચાલુ છે તેના દલિકો બન્ને સ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃતિઓનો ઉદય છે પણ બંધ નથી તેને પ્રથમ સ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃતિઓનો બંધ અને ઉદય નથી તે પ્રકૃતિઓના દલિકો સ્વજાતીય બંધાતી પર પ્રકૃત્તિમાં નાંખે છે. અંતઃકરણના દલિકોને શરૂ કરેલ પર પ્રકૃત્તિમાં નાંખે છે. આ પ્રક્યિા ચાલુ થતાં બીજા જ સમયે એકી સાથે ૭ કાર્યો શરૂ થાય છે. (૧) મોહનીય કર્મનો એક સ્થાનીયરસ બંધ (૨) સંખ્યાતવર્ષ પ્રમાણની સત્તા (3) સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિબંધ (૪) સંખ્યાતવર્ષની ઉદીરણા (૫) ક્રમપૂર્વક સંક્રમણ (૬) લોભના સંક્રમનો અભાવ (૭) બંધાયેલા દલિકોની ૧ આવલીકા ગયાબાદ ઉદીરણા થાય છે અને તે વખતે નપુંસકવેદનો પૂર્વ પૂર્ણ કરતાં ઉત્તરોત્તર અસંખ્ય ગુણાકારે ઉપશમ કરે છે. અંતઃકરણમાં પ્રવેશ કર્યા પછી મોહનીય કર્મનો બંધ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy