________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
અંતર્મુહૂર્ત પછી અનિવૃત્તિકરણના અંતે શેષકર્મમાં પણ સ્થિતિઘાતરસઘાત-ગુણશ્રેણી થતાં નથી કારણકે પછી મોહનીયની ૨૪ની સત્તાવાળો થતો સ્વભાવસ્થ રહે છે.
૩૫૨
કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધીની ઉપશમના કરે છે તે આ પ્રમાણે - અનંતાનુબંધીની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનક સુધીમાં ૩ કરણ અને ૪થી ઉપશમઅધ્ધા એટલે કે અંતઃકરણ પૂર્વક થાય છે. સ્થિતિઘાતાદિ પાંચે વાના અનંતાનુબંધીના કરે છે. અનંતાનુબંધીનો ઉદય નહિ હોવથી નીચેની ૧ આવલિકા રાખીને અંતઃકરણના પ્રદેશોને બધ્યમાન સજાતિય પ્રકૃતિમાં સંક્રમીને નાશ કરે છે. અંતઃકરણના દલિકોને સંક્રમાવતાં સ્થિતિઘાત જેટલો વખત લાગે છે. અંતઃકરણની ક્રિયા શરૂ થાય તેના બીજા સમયથી અંતઃકરણની ઉપરની સ્થિતિ (દ્વિતીય) ગત અનંતાનુબંધીના દલિકોને સમયે સમયે અસંખ્યાતગુણા ઉપશમાવીને અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ ઉપશમાવે છે એટલે અંતર્મુહૂર્ત પ્રમાણ ઉદય સંક્રમણઉર્તના-અપવર્તના-નિદ્ધતિ- નિકાચના અને ઉદિણાને અયોગ્ય કરે છે પ્રદેશોદય પણ થતો નથી.
આ રીતે ૪ની ઉપશમના કરીને દર્શન મોહનીયની ૩ 3 કૃતિઓની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનકમાં કરે છે.
મતાંતર (શ્રમણપણામાં જ કરે છે) ત્રણેકરણ કરવાપૂર્વક અંતઃકરણ કરે છે. અંતઃકરણ નીચેની પહેલી સ્થિતિ- તેમાં મિથ્યાત્વ-મિશ્રમોહનીયના દલિકોને આવલિકા પ્રમાણ કરે છે. અને
સમ્યક્ત્વ મોહનીયના દલિકો અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે મિથ્યાત્વમિશ્રમોહનીયના દલિકો અનુદિત છે અને સમકિત મોહનીય ઉદય પ્રાપ્ત છે.
અંતઃકરણના ત્રણે જાતના દલિકોને સમકિતમાં એટલે પહેલી સ્થિતિમાં નાંખે છે અને પહેલી સ્થિતિના મિથ્યાત્વ મિશ્રને સ્તિબુક