SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ ચૌદ ગુણસ્થાનક ભાગ-3 આવેલો જીવ ચડે છે અને પડે છે. જેને માટે મેં તને પ્રથમ સમજાવ્યું છે. ભદ્ર, જો, જે આ રત્નમય એક ગ્રંથિ દેખાય છે, તે એવું સૂચવે છે કે, અહિં આરૂઢ થયેલો ઉપશમક જીવ શાતા વેદનીયરૂપ એજ્જ પ્રકૃતિનો બંધ કરે છે; જે તેની પાસે આ ઓગણસાઠ કિરણો પ્રકાશે છે, તે એવું સૂચવે છે કે, અહિં વર્તતો જીવ ઓગણસાઠ પ્રકૃતિ વેદે છે. તેની આસપાસ જે એકસો અડતાળીશ સૂક્ષ્મ કિરણોનું જાળ રે છે, તે એમ દર્શાવે છે કે, અહિં એકંદરે એકસો અડતાળીશ પ્રકૃતિની ઉત્કૃષ્ટિ સત્તા છે. વત્સ, આ પ્રમાણે આસોપાનનો દેખાવ હેતુપૂર્વક છે અને હૃદયથી મનન કરવા યોગ્ય છે.” આનંદસૂરિની વાણી સાંભળી મુમુક્ષુ પ્રસન્ન થઇ ગયો અને તેણે તે મહાત્માને પુનઃ ભક્તિપૂર્વક વંદના કરી. ઉપશમ શ્રેણીનું સ્વરૂપ ક્ષયોપશમ સમકિતિ જીવો ૪ થી ૭ ગુણસ્થાનકે રહેલા ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરવા માટે ઉપશમ સમકિત પામવાની શરૂ આત કરે છે તથા આયુષ્ય અબંધ-આયુષ્યબંધક ક્ષાયિક સમકિતિ જીવો ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકે છે આ જીવો ઉપશમ સમકિત પામવાની શરૂઆત કરે તેમાં અનંતાનુબંધી ૪ કષાયની વિસંયોજના (ક્ષપના) કરે છે તે આ પ્રમાણે અનંતાનુબંધી ૪ કષાયનો નાશ, ૩ કરણપૂર્વક (યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અનિવૃત્તિકરણ) કરે છે. ૨ તથા ૩ જા કરણમાં પ્રલનાવિદ્ધ યુક્ત ગુણ સંક્રમ વડે ૧ ઉદયાવલિકા સિવાયના બાકીના સર્વ દલિકોનો નાશ કરે છે. ઉદયાવલિકાને કોઇ કરણ લાગતું નથી જેથી સ્તિબુકસંક્રમ વડે સ્વજાતિય વેધમાન પ્રકૃતિમાં સંક્રમીને દૂર થાય છે ત્યારબાદ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy