________________
3૧૪
ચોદ ગુણસ્થાનક ભાગ-૩
કેટલાક જીવો ઉપશમ શ્રેણિથી પતન પામી ઉપશમ સમકત સાથે ચોથા ગુણસ્થાનકે આવેલા હોય છે તેમાં દર્શન સપ્તક એ સાતની ઉપશમના કરેલી હોય એવા હોય છે અને કેટલાક અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કરેલા ચોવીશની સત્તાવાળા હોય છે જેમાં દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓનો સર્વથા ઉપશમાં હોય છે. આ રીતે ઉપશમ સમકતી જીવો ત્રણ રીતવાળા હોય છે.
(૨) ક્ષયોપશમ સમકીતિ જીવો - કેટલાક અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો ક્ષયોપશમ સમકીત પામ્યા હોય એવા હોય છે.
કેટલાક જીવો ઉપશમ સમકીત પામી અને ક્ષયોપશમ સમકીત પામેલા હોય એવા હોય છે.
કેટલાક જીવો ક્ષયોપશમ સમકતના કાળમાં અનંતાનુબંધિ ચાર કષાયોનો ક્ષય કરી મોહનીય કર્મની ચોવીશની સત્તા પ્રાપ્ત કરેલા જીવો હોય છે. ”
કેટલાક જીવો ક્ષયોપશમ સમકતના કાળમાં અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કર્યા પછી વિશુદ્ધિના બળે. મિથ્યાત્વ મોહનીયનો ક્ષય કરી ત્રેવશ મોહનીયની પ્રકૃતિઓની સત્તાવાળા જીવો હોય છે.
કેટલાક ક્ષયોપશમ સમકતના કાળમાં અનંતાનુબંધિ ચાર કષાયો-મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય એ છ પ્રકૃતિઓનો ક્ષય કરીને મોહનીય કર્મની બાવીશ પ્રકૃતિઓની સત્તાવાળા પણ ક્ષયોપશમ સમકતી જીવો હોય છે. આ રીતે ક્ષયોપશમ સમકતી જીવો પણ ભિન્ન ભિન્ન વિશુદ્ધિવાળા હોય છે.
આ જ રીતે પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાનકે ઉપશમ સમકતી જીવો તથા ક્ષયોપશમ સમીતી જીવો રહેલા હોય છે.
(૩) ક્ષાયિક સમીતી જીવો - જે જીવોએ ક્ષયોપશમ સમકતના કાળમાં દર્શન સપ્તક એટલે અનંતાનુબંધિ ચાર કષાય