________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
જાય છે, તેથી સર્વજ્ઞ પ્રણીત જૈનાગમનું રહસ્ય તેના જાણવામાં આવતું નથી, એથી વ્યવહારને દૂર કરી બેઠો છે અને તે નિશ્ચયને પ્રાપ્ત કરી શક્યો નથી. કારણ કે, જૈન સિદ્ધાંતના જ્ઞાન વિના વ્યવહારપૂર્વક નિશ્ચયને સાધી શકાતો નથી. તેને માટે શાસ્ત્રમાં ખાસ લખે છે કે, “જો જૈન મતને અંગીકાર કરતા હો, તેમજ જૈન મતના સાધુ થતા હોતો વ્યવહાર અને નિશ્ચયનો ત્યાગ કરો નહીં. જો વ્યવહારનો ત્યાગ કરશો તો તીર્થનો ઉચ્છેદ થઇ જશે.” આ ઉપરથી સમજવાનું છે કે, વ્યવહાર અને નિશ્ચય સર્વદા ધારણીય અને આદરણીય છે. તે ઉપર એક દ્રષ્ટાંત છે. જેમ કોઇ ગૃહસ્થ હંમેશાં પગે ચાલીને છે, તેને કોઇવાર કોઇ અધિકારી અથવા ધનવાન્ ગૃહસ્થે પોતાની સુંદર ઘોડા ગાડીમાં બેસારી ફેરવ્યો, આથી તેને ફરવાનો આનંદ પ્રાપ્ત થયો, પછી તેને પગે વું રૂચિકર થયું નહીં; તેથી તે હંમેશાં પેલા ગાડીવાલા ગૃહસ્થની ગાડીમાં ફરવાની અભિલાષા કરી રહ્યો છે; આથી તે પગે ચાલી ફરવા નીકળતો નથી તેમ પેલો ગાડી વાળો ગૃહસ્થ ીવાર તેને પોતાની ગાડીમાં ફરવા લઇ જતો નથી. આથી ગાડીનો આનંદ તેને મળતો નથી, અને તે પગે ચાલી ફરવા નીકળતો નથી, તેથી તે ઉભયભ્રષ્ટ થઇ સદા ચિંતાના દુઃખમાં મગ્ન રહે છે. તેવીજ રીતે (આ જીવ) સાધુ કદાગ્રહરૂપ ભૂત વળગી જવાથી આ પ્રમત્ત ગુણસ્થાનવડે સાધ્ય અને સ્થૂલ રીતે પુણ્યની પુષ્ટિના કારણરૂપ ષડાવશ્યકાદિ કષ્ટ ક્રિયા કરતો નથી, તેને પગે ચાલવા જેવું ગણે છે, અને પ્રમત્ત ગુણસ્થાનમાં જેનો લાભ કદાચિત્ થઇ શકે છે, એવું નિર્વિકલ્પ, મનોજનિત, સમાધિરુપ નિરાલંબન ધ્યાનના અંશને કે જે પરમાનંદ સુખના સ્વાદ રૂપ છે, તેને ઘોડા ગાડીમાં બેસી વા જેવું ચિત્તમાં રહેવાથી તેને અભિલાષા રહેતાં પ્રમત્ત ગુણસ્થાન ગતષડાવશ્યકાદિ કષ્ટ ક્રિયા કર્મનું સમ્યક્ રીતે આરાધન કરતો નથી. અને
૩૧૦