SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ – ––– ––– – – – – – – – – – –––––– ચૌદ ગુણસ્થાનક ભાગ-3 આ સંયમકુશળતા સંચમીને યોગ્યગુણોથી સંમન્ન બની, ત્રિકરણ શુદ્ધ થઈ અર્થાત્ મન-વચન-કાયાથી લેશ પણ અસંયમ કરવાનો વિચાર પણ ન આવે એ રીતે વિશુદ્ધ પરિણામવાળા બન્યા રહી, તેમજ ભાવશુદ્ધ એટલે કે લોકાદિ-આશંસા લેશ પણ રાખ્યા વિના કરવાની. ષષ્ટ સોપાન (પ્રમત્ત સંયત ગુણસ્થાન) અનંત, અક્ષય, અવિનાશી, અવ્યાબાધ, અજરામર, અને અગુરુલઘુ એવા આત્મસ્વરૂપને જાણનારા, અને તેમાંજ રમણ કરનારા મહાનુભાવ આનંદસૂરિ હૃદયમાં ક્ષણવાર ધ્યાન કરી અને આત્મસ્વરૂપના દર્શન કરી મેઘના જેવી ગંભીર વાણીથી બોલ્યા - “ભદ્ર મુમુક્ષુ, આ ચૌદ પગથીઆવાળી નીસરણીના છઠ્ઠા સોપાન ઉપર દ્રષ્ટિ નાંખ અને સૂક્ષ્મ રીતે તેનું અવલોકન કર. પ્રાચે કરીને આ છટ્ટા સોપાન ઉપર સાધુઓનું સ્થાન હોય છે. સર્વ વિરતિપણે અલંકૃત એવા સાધુઓ આ પગથીયા ઉપર આવે છે. આ સોપાનનું નામ પ્રમત્તસંવત ગુણસ્થાન કહેવાય છે. ભદ્ર, જો, આ પગથીઆની પાસે ચાર ટેકા મુકેલા છે અને તેની નીચે પડી જવાય તેવો ઢાળ ઉતાર્યો છે. તેની આસપાસ ત્રેસઠ ચાંદલાઓ છે અને તેમાંથી એકાશી. કિરણો નીકળે છે. જેનો સુંદર દેખાવ પ્રેક્ષકને જુદી જ ભાવનામાં આકર્ષી લઇ જાય છે.” સૂરિવરના આ વચન સાંભળી મુમુક્ષુએ પોતાની તીવ્ર દ્રષ્ટિ તે તરફ પ્રસારી અને સૂક્ષ્મતાથી તે તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. ક્ષણવાર નિરીક્ષણ કર્યા પછી તે સાનંદ વદને બોલ્યો. “ભગવદ્, અહો ! શો સુંદર દેખાવ છે ? જેમ વિશેષ અવલોક્ન કરું છું, તેમ તેમ વિશેષ ચમત્કારી આનંદ આવતો જાય છે. મારી પર કૃપાવલ્લી પ્રસારી આ દેખાવની સૂચનાઓ પ્રગટ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy