________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ – – – – –
–
–
–
–
–
૩૦૨
– – – – શાસ્ત્રમાં આ અર્થ આવે છે - સંયમ એટલે
(૧) સંયમન કરવું તે, અર્થાત્ સાવધ (પાપ) વ્યાપારોથી વિરમવું તે;
(૨) પાપ વ્યાપારના ભારથી આત્માને સંયમિત કરવો, બચાવી લેવો તે;
(૩) સમ્યગ્ર મંત્રો અર્થાત અહિંસાદિ છે જેમાં તે; (૪) મન-વચન, કાયશુદ્ધિથી સર્વ હિંસાથી વિરામ; (૫) પંચ=આશ્રવથી વિરમણ; (૬) ઇન્દ્રિય- કષાયનો નિગ્રહ; (૭) સમ્યગું અનુષ્ઠાન; ચારિત્રસામાયિક, દયા, લજ્જા..
સંયમ ૪ પ્રકારે પણ કહ્યું છે, મન:સંયમ, વાસંયમ, કાયસંયમ, અને ઉપકરણસંયમ અર્થાત્ મહામૂલ્યવાળા વસ્ત્રપાત્રાદિનો ત્યાગ.
સંયમ ૭ પ્રકારે આ રીતે -૧ થી ૬ ષષ્કાયસંયમ, અને 9મું અજીવસંયમ. જીવસંયમમાં જીવને સંઘટ્ટનાદિ કોઇ ન કરવું; અજીવસંયમમાં પુસ્તકાદિનાં ગ્રહણ-પરિભોગથી વિરામ પામવો.
સંયમ ૧૦ પ્રકારઃ-૧-૫. પાંચ સ્થાવરકાયસંયમ, ૬-૯. બેઇદ્રિયાદિથી પંચેન્દ્રિય સુધીનાનો સંયમ ૧૦મું અજીવસંયમ.
સંયમ ૧૭ પ્રકારે આ રીતે - ઉપરોક્ત ૯ જીવસંયમ, ૧૦મું અજીવસંયમ. ૧૧-૧૨-૧૩મું મન-વચન-કાયસંયમ, ૧૪થી ૧૭મું પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાર્જના-પરિષ્ઠાપનાસંયમ.
જીવસંયમમાં મન-વચન-કાયાથી જીવોનો સંઘટ્ટો વગેરે વિરાધના કરવા-કરાવવા-અનુમોદવાનો ત્યાગ. આમાં કાયાથી કરવું સમજાય એવું છે. કાયાથી કરાવવું એ રીતે બને કે આપણા