________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
૨૯૮
ચૌદ ગુણસ્થાન ભાગ-૩ - - બરાબર રંગથી કરે છે, તેમ મહાન શુભ અધ્યવસાયનો લાભ કરાવનારી ક્રિયાની ઉપાસના બરાબર રંગથી કરાય.
(૨) ઉદ્વેગ :- એટલે ક્રિયા કષ્ટસાધ્ય છે, એવી બુદ્ધિથી ચાલુ ક્રિયા કરવામાં થતી અરતિ, આળસ. એ આળસને લઇને, જો કે ખેદની જેમ કાયાને થાક છે એવું નથી. છતાં, સ્થાને બેઠાં બેઠાં ક્રિયા કરવામાં ઉત્સાહ નથી હોતો. એટલે ક્રિયા તો કરે. પરન્તુ ફ્લિામાં કોઇ ધન ખર્ચ અથવા સમય બહુ લાગવાનો અથવા શારીરિક વગેરે કષ્ટ લાગવા-કરવાનો ઉદ્વેગ રહ્યા કરે છે. તેથી ચિત્તમાં આનંદ નથી પ્રગટતો. પછી અંતરમાં શુભ ભાવોલ્લાસ
ક્યાંથી વધે ? ભક્તિથી એ ઉદ્વેગ દોષને ટાળી શકાય છે. પત્ની પ્રત્યે પ્રીતિ હોવાથી એના માટે કષ્ટસાધ્ય ક્રિયા પણ ઉદ્વેગ વિના કરાય છે ને ? તો અહીં પ્રભુની પ્રીતિભક્તિદ્વારા ઉદ્વેગને ટાળીને ધર્મક્રિયા ઉલ્લાસથી ન કરાવી જોઇએ ?
(૩) ક્ષેપ - એટલે ચિત્તની ક્ષિપ્ત અવસ્થા. આ ક્ષિપ્તાવસ્થામાં ખેદ-ઉદ્વેગ નથી. છતાં ચિત્ત ક્રિયાની વચમાં વચમાં બીજે બીજે ચાલ્યું જાય છે, બીજા ત્રીજા વિચારમાં ચઢી જાય છે, જેવી રીતે ડાંગરના રોપાને (છોડને) વચમાં વચમાં એક ક્યારામાંથી ઉખેડીને બીજા ક્યારામાં રોપે, અને બીજામાંથી ઉખેડી ત્રીજામાં રોપે, તો એ રોપા પર ફળ બેસતું નથી. એવી રીતે ચાલુ ક્યિામાંથી ચિત્તને બીજે ત્રીજે વ્યા કરવાથી ક્રિયામાં સળંગ ચિત્તધારા અથવા તે ક્વિાના શુભ અધ્યવસાયની એક સરખી ધારા ચાલી શકતી નથી. પછી ભલે વચમાં વચમાં બીજા વિચારમાંથી ચિત્તને પ્રસ્તુત ક્રિક્યામાં લઇ આવવામાં આવે. તો પણ પૂર્વના તે અનુપયોગી વિચારની અસર આ ક્રિયા પર રહે છે. તેને લીધે પ્રસ્તુત ક્રિયાના શુભા ભાવોલ્લાસમાં મન તરત ચઢી શકતું નથી. કે દ્રઢ બની શકતું નથી. જે અંતરમાં ભક્તિ જાગૃત હોય તો ક્રિયામાં રસ ભરપૂર