SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ અર્થવાળી ભાષા બોલાય તે. દા.ત. કહે, મીઠું ખાઓ, આમાં શંકા પડે કે મીઠું એટલે લૂણ કે ગળ્યું ગળ્યું ? કે (૧૧) વ્યાકૃતા=સ્પષ્ટા - દા.ત. ‘અ! સુશીલનો ભાઇ છે.' (૧૨) અવ્યાકૃતા દા.ત. બાળકની અસ્પષ્ટ ભાષા. ઉપરોક્ત ભાષાના ચાર પ્રકાર વ્યવહારનય માને છે, ત્યારે નિશ્ચયનય માત્ર સત્ય અને મૃષા બે જ પ્રકાર માને છે. કેમકે એ કહે છે કે જે પરિણામે મૃષાવત્ પરિણમે તે મૃષા જ છે. El.d. અર્ધમૃષા પણ મૃષાવત્ પાપબંધકારી જ છે, એમ પાપપ્રેરક વ્યવહારભાષા જેમકે ‘શાક સમાર' એ પણ પાપબંધકારી છે તેથી નિશ્ચયથી મૃષા જ છે. એટલે સાધુસાધ્વીએ ભાષામાં ખાસ કરીને નિર્દોષતા, નિરવધતા અને સત્યતાનું લક્ષ રાખવું જોઇએ. ધર્મક્રિયામાંથી ટાળવાના ૮ દોષ - ૨૯૭ ધર્મક્રિયામાંથી ટાળવાના આઠ દોષો આ પ્રમાણે શ્રી ષોડશ શાસ્ત્રમાં કહ્યા છે. ક્રિયાના ખેદ, ઉદ્વેગ વગેરે આઠ દોષ. (૧) ખેદ :- એટલે થાકેલાપણું, જેમ લાંબો માર્ગ કાપીને મનુષ્ય થાકી જાય, અને હવે આગળ ચાલવા માટે ઉત્સાહી ન રહે, તેમ પૂર્વ ક્રિયાની પ્રવૃત્તિથી થાક લાગતાં પછીની ક્રિયામાં પ્રવૃત્તિ કરવાને આત્મામાં ઉત્સાહ ન હોય ખેદ હોય. ખિન્નતા હોય. આ ખેદમાં પડેલું ચિત્ત પછીથી ક્રિયામાં દ્રઢ જ બની શકતું નથી, તેવી ક્રિયામાં સુંદર પ્રણિધાન અર્થાત્ એકાગ્રભાવ તનમયભાવ થઇ શકતો નથી. ત્યારે પ્રણિધાન વિના તો ચાલી શકે એમ પણ નથી. કેમકે પ્રણિધાન એ, જેમ ખેતીમાં પાણી જરૂરી, તેમ જરૂરી છે. ખેદના લીધે એ તન્મયતાનો રંગ આવે નહિ. તો ભલે ક્રિયા કરશે, પણ શુભ અધ્યવસાય ક્યાંથી વિકવર થઇ શકવાના ? જો ભક્તિ હોય તો, જેમ વેપારી લાભ કરાવનાર આડતિયાની સરભરા
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy