________________
૨૯૬
પડી.’
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
(૧૦) અર્ધકાળમિશ્ર અર્થાત્ દિવસ કે રાતના એક ભાગ સંબંધી મિશ્ર, દા.ત. ‘પહોર દિવસ ચડ્યો હોય ને કહે અડધો દિવસ તો થયો, કેમ બેસી રહ્યા છો ?'
આ પ્રકારો ધ્યાનમાં રાખી બોલવામાં ખૂબ ચોક્સાઇ રાખવાની છે.
વ્યવહારભાષાના ૧૨ પ્રકાર છે; એમાં સત્ય કે અસત્ય જેવું નથી; માટે એને અસત્યામૃષા પણ કહે છે. એમાં,
(૧) આમંત્રણી - (૧) આમંત્રણ, સંબોધન કરતી ભાષા દા.ત. ‘હે વીર !' ‘હે પુત્ર !'
(૨) આજ્ઞાપની - નિર્દોષ વિવક્ષાપૂર્વક આજ્ઞાકારિણી, દા.ત. ‘આ કર.'
(૩) યાચની - યાચનાકારી, દા.ત. · ભિક્ષા આપો.' (૪) પ્રચ્છની - પ્રશ્નકારી, દા.ત. ‘એ કેવી રીતે ?' (૫) પ્રજ્ઞાપની - વસ્તુતત્ત્વનિર્દેશક, ‘હિંસામાં પ્રવર્તે તો દુ:ખી થાય.'
(૬) પ્રત્યાખ્યાતીય
સૂચક ભાષા, દા.ત. ‘મારે આપવાની ઇચ્છા નથી.'
પચ્ચક્ખાણના શબ્દ, અથવા નિષેધ
(૩) ઇચ્છાનુલોમા - અન્યની ઇચ્છામાં સંમતિના શબ્દ, દા.ત. કોઇએ કહ્યું કે અમે સાધુદર્શને જઇએ છીએ, તો એના ઉત્તરમાં કહે ‘સારૂં' ‘જહાસુખ’
(૮) અનભિગૃહીંતા - અર્થના ઉપયોગ વિના ‘ડિત્ય’ ‘ડવિત્થ', શબ્દની જેમ બોલાય તે.
(૯) અભિગૃહીતા - ઘડો વસ્ત્ર વગેરે શબ્દની માફ્ક ઉપયોગ પૂર્વક બોલાય તે.
(૧૦) સંશયકરણી
સંશયમાં મૂકી દે એવી અનેક
-