________________
૨૯૨ — —
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
— -
ચોદ ગુણસ્થાન ભાગ-3 પુદ્ગલોને વાસિત કરે છે. એમ કરતાં તિચ્છ ઉત્કૃષ્ટ લોકાન્ત સુધી જઇ શકે છે.
આ ભાષા ૪ પ્રકારની હોય છે, સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર (સત્યાસત્ય) ભાષા. વ્યવહાર ભાષા. સત્યભાષાનો મુખ્ય આધાર જીવદયા અને પોતાના વ્રતરક્ષાના શુદ્ધ પરિણામ ઉપર છે. માટે કેટલીક વાર દેખીતું અસત્ય ખરેખર સત્યભાષારૂપ હોય છે, અને દેખીતું સત્યવચન પણ અસત્યરૂપ નીવડે છે. એટલે જ મેતારજ મહામુનિએ પક્ષી જવલા ચણી ગયાનું કદાચ દેખ્યું હશે છતાં એનું નામ ન આપ્યું, કેમકે એથી પેલો સોની કદાચ પંખીને હણે તો ? યાવતુ પોતાની પાસે નથી એમ પણ ન બોલ્યા, કેમકે એથી પણ કદાચ પેલાનું ધ્યાન ત્યારે બીજી બાજુ જતાં પંખી પર જાય તો ? તાત્પર્ય, બોલવામાં જીવદયા, વ્રતરક્ષા અને વિશુદ્ધ પરિણામ પર લક્ષ રાખવું જોઇએ.
સામાન્ય રીતે ચાર પ્રકારની ભાષામાંથી ભાષા સત્ય બોલવી. જોઇએ, તેમજ વ્યવહારભાષા પણ નિરવધ જ બોલાય. અસત્ય અને મિશ્રભાષા તથા સાવધ વ્યવહાર ભાષા ન બોલવી.
સત્ય ભાષા ૧૦ પ્રશ્નરે હોય છે
(૧) જે શબ્દ કે વાક્યપ્રયોગ જે દેશમાં જે અર્થમાં માન્ય હોય તે દેશમાં તે અર્થમાં તે શબ્દ બોલવો એ જનપદ સત્ય કહેવાય. દા.ત. દક્ષિણમાં ધણીને નવરો કહે છે, તો ત્યાં તે અર્થમાં તે બોલાય.
(૨) સ્થાપના સત્ય - દા.ત. મૂર્તિને ઉદેશીને કહેવાય આ મહાવીરસ્વામી છે. નકશામાં કહેવાય છે, આ અમેરિકા છે. કરન્સી. નોટને લઇ કહેવાય આ લો ૧૦ રૂ.
(૩) નામસત્ય :- નામ પૂરતું સત્ય, દા.ત. કુળને ના